ગાંધીનગર : ગુજરાતમાં હવે કોરોના પીછેહઠ કરી રહ્યો છે. રાજ્યમાં આજે કુલ 377 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 1148 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,04,656 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.70 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 44,497 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાઢ પ્રેમમાં મોજ મજા તો કરી લીધી પણ પછી યુવતી ઓસ્ટ્રેલિયા ગઇ અને પ્રેમીએ એવું કર્યું કે...


બીજી તરફ રાજ્યમાં કુલ 5010 એક્ટિવ કેસ છે. જે પૈકી 41 નાગરિકો વેન્ટીલેટર પર છે. 4969 નાગરિકો સ્ટેબલ છે. 1204656 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10896 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 9 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. વડોદરા કોર્પોરેશનમાં 4, વડોદરા 1, સુરત 1, ભાવનગર કોર્પોરેશન 1 અને દેવભુમી દ્વારકામાં 2 નાગરિકોનાં મોત કોરોનાને કારણે થઇ ચુક્યાં છે. 


ગુજરાતમાં હવે પાણીની કોઇ સમસ્યા નહી રહે, CM દ્વારા 43 કરોડ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી


બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 8 ને પ્રથમ જ્યારે 44 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 1457 ને રસીનો પ્રથમ જ્યારે 3617 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 5540 ને રસીનો પ્રથમ અને 17179 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 2385 ને પ્રથમ જ્યારે 9080 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 5187 ને પ્રીકોર્શન ડોઝ અપાયા છે. આ પ્રકારે આજના દિવસમાં 44,497 રસીના ડોઝ આજના દિવસમાં જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,21,28,900 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube