ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના નવા 45 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 26 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,134 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.74 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 4,26,161 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 293 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટીલેટર પર છે. 285 સ્ટેબલ છે. 8,17,134 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10093 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે આણંદમાં એક વ્યક્તિનું મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 11 કેસ, ભરૂચ 7, વડોદરા કોર્પોરેશન 5, ગાંધીનગર કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 4, કચ્છ 3, નવસારી  2, રાજકોટ કોર્પોરેશન 2, વલસાડ 2, ભાવનગરમાં 1,  આણંદ 1,  અન ખેડા 1, ભાવનગર કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં 1-1 કેસ આવ્યા છે. આ પ્રકારે કુલ 45 કેસ આવ્યા છે.

કમોસમી વરસાદના પગલે 2 જિલ્લામાં LRD ની શારીરિક કસોટી મોકૂફ, ટૂંક સમયમાં જાહેર થશે નવી તારીખ



રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 6 ને પ્રથમ જ્યારે 2215 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 9562 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 101429 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષ સુધીના 31446 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 281503 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 4,26,161 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 8,14,82,622 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube