ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના 45 નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 45 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,17,203 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. આજે કુલ 3,90,154 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગાહી વાંચી રૂંવાડા ઉભા થઇ જશે: દક્ષિણ ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થશે? વાતાવરણ પણ નથી આપી રહ્યું સાથ...


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 318 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટિલેટર પર છે. 310 નાગરિકો સ્ટેબલ છે. 8,17,203 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10094 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનમાં 15 કેસ, સુરત કોર્પોરેશનમાં 6 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 5 કેસ, આણંદ-વડોદરામાં 3-3 કેસ, નવસારી, રાજકોટ કોર્પોરેશન, વલસાડમાં 2-2 કેસ સામે આવી ચુક્યાં છે. ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, મહેસાણા, પોરબંદર અને સુરતમાંથી 1-1 કેસ સામે આવ્યા છે. આ પ્રકારે કુલ 45 કેસ સામે આવ્યા છે. 


માનસિક અસ્થિર મહિલા સાથે એટલો અત્યાચાર કે ગુપ્તભાગ અને હોઠમાંથી લોહી નિકળી ગયા...


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 17ને પ્રથમ અને 1479 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 9597 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 93860 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 31567 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 253634 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ 3,90,154 નાગરિકોનું આઝના દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube