ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના નવા 47 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 53 દર્દીઓ સાજા પણ થયા છે. બીજી તરફ કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,12,064 નાગરિકો મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ સુધરીને 99.06 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં કુલ 69,587 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેલ મહાકુંભ LIVE: PM મોદીએ કહ્યું આ ખેલ મહાકુંભ નહી પરંતુ ગુજરાતની યુવા શક્તિનો મહાકુંભ છે


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 560 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 553 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,12,064 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10938 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. અમદાવાદ કોર્પોરેશનમાં 31, વડોદરા કોર્પોરેશનમાં 5, વડોદરા 3, આણંદ 2, ડાંગ, ગાંધીનગર કોર્પોરેશન, મોરબી, રાજકોટ, સુરત કોર્પોરેશન અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે. 


યુવતીએ કહ્યું, જાનુ મને એક ગુટખાની પડીકી ખવડાવ પછી મને જંગલમાં લઇ જઇને...


રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 9280 ને રસીનો પ્રથમ અને 34856 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1483 ને રસીનો પ્રથમ અને 15624 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 8344 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયો છે. આ પ્રકારે 69,587 રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં રસીના કુલ 10,39,58,067 ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube