ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. તો બીજી તરફ રસીકરણ પણ ખુબ જ ઝડપથી થઇ રહ્યું છે. રાજ્યમાં કુલ 3,02,282 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.64 ટકાએ પહોંચ્યો છે. કોરોનાના નવા 53 કેસ નોંધાયા છે. 258 દર્દીઓ સાજા થયા છે. 8,12,976 દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરમાં રથયાત્રા 17 કિમીના રૂટ પર ફરશે, એસપી સહિતના 3000 જવાનો કરશે બંદોબસ્ત


જો રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 1151 લોકોની સારવાર ચાલી રહી છે. જે પૈકી 08 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 1143 લોકો સ્ટેબલ છે. 8,12,976 લોકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10073 લોકોનાં રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોત નિપજ્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. જે ખુબ જ હકારાત્મક બાબત છે. 


રથયાત્રાના રૂટ પર રહેતા લોકોએ જો ઘરની બહાર ડોકાચીયું પણ કર્યું તો થશે કડક કાર્યવાહી


જો રસીકરણની વાત કરીએ તો આજે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 220ને પ્રથમ ડોઝ અને 13835 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 45569 લોકોને પ્રથમ અને 88007 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત 18-45 વર્ષના નાગરિકો પૈકી 143419 લોકોને પ્રથમ ડોઝ અને 11232 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આજના દિવસમાં કુલ 3,02,282 લોકોને રસી અપાઇ હતી. અત્યાર સુધીમાં કુલ 2,76,27,473 લોકોને રસી અપાઇ ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube