ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા 636 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 622 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,21,866 નાગરિકો હરાવી પણ ચુક્યાં છે. જો કે સતત વધી રહેલા કેસના કારણે રિકવરી રેટ ઘટીને 98.80 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 68,073 નાગરિકોને રસીના કુલ ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 3893 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિક વેન્ટીલેટર પર છે. જ્યારે 3888 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,21,866 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10948 નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. જો કે એક પ્રકારે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 876 નાગરિકોને રસીનો પ્રથમ અને 11424 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1439 ને રસીનો પ્રથમ અને 4274 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 39567 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા છે. 12-14 વર્ષના નાગરિકો પૈકી 6108 ને રસીનો પ્રથમ અને 4385 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 68,073 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,18,39,154 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube