ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા 665 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 536 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,20,682 નાગરિકો હરાવી પણ ચુક્યાં છે. જો કે સતત વધી રહેલા કેસના કારણે રિકવરી રેટ ઘટીને 98.81 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 55,091 નાગરિકોને રસીના કુલ ડોઝ આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીલ સાહેબ તમારા ભાજપના નેતાઓને જ પક્ષના સંસ્થાપક વિશે નથી ખબર! ડો.શ્યામા પ્રસાદ વિશે કોણે શું કહ્યું જાણો


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 3724 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટીલેટર પર છે જ્યારે 3721 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,20,682 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10948 નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. જો કે એક પ્રકારે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. 


ભારે વરસાદની આગાહીને પગલે CM ની તાબડતોબ મીટિંગ, જાણો શું નિર્ણય લેવાયા


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 988 નાગરિકોને રસીનો પ્રથમ અને 9880 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 2483 ને રસીનો પ્રથમ અને 4412 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 23044 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા છે. 12-14 વર્ષના નાગરિકો પૈકી 8944ને રસીનો પ્રથમ અને 5340 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 55,091 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,16,99,603 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube