ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના નવા 68 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 74 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,819 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે ગુજરાતનો કોરોના રિકવરી રેટ પણ સુધરીને 98.71 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 2,42,710 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 575 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. 569 સ્ટેબલ છે. 8,17,819 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચુક્યા છે. 10101 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને મોત નિપજ્યાં છે. આજે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 14 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 12 કેસ, સુરત કોર્પોરેશનમાં 8 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 7 કેસ, આણંદ અને નવસારીમાં 4-4 કેસ આવ્યા છે. જ્યારે ખેડા અને વડોદરામાં 3-3 કેસ આવ્યા છે. ત્યારે દ્વારકા અને વલસાડમાં 2-2 કેસ આવ્યા છે. આ ઉપરાંત ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, કચ્છ, મહેસાણા, રાજકોટ, સુરત અને સુરેન્દ્રનગરમાં 1-1 કસે સામે આવ્યા છે. આ પ્રકારે કુલ 68 કેસ આવ્યા છે.


રસીકરણના મોરચે પણ સરકાર સતત મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4 ને પ્રથમ જ્યારે 756 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 6600 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 56603 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષ સુધીના 23048 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 1,55,699 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 2,42,710 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 8,69,75,836 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube