ગાંધીનગર : ગુજરાતમાં કોરોના 70 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 63 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,17,937 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના કારણે કોરોનાનો રિકવરી રેટ 98.71 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ કોરોના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 2,21,718 રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લો આ જ બાકી હતું? ગુજરાતમાં હવે વાંદરાઓ પણ બેકાબૂ, બાળકનું મોત, ત્રણ ઘાયલ


રાજ્યમાં હાલ કુલ 577 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટીલેટર પર છે. 569 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,17,937 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10102 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે વલસાડમાં કોરોનાને કારણે એક નાગરિકનું મોત થયું હતું. અમદાવાદ કોર્પોરેશનમાં 13, વડોદરા કોર્પોરેશન 11, જામનગર કોર્પોરેશ-સુરત કોર્પોરેશન 6-6, રાજકોટ કોર્પોરેશન 5, જામનગર-રાજકોટ 4-4, ગાંધીનગર કોર્પોરેશન-મહેસાણા 3-3, આણંદ, ગીરસોમનાથ, પોરબંદર, સુરતમાં 2-2, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 70 કેસ નોંધાયા છે. 


સમગ્ર દેશના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગર ખાતે તરવા માટે આવશે, ખાસ છે કારણ...


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7ને રસીનો પ્રથમ, 379 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરની 6550, 50985 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 22644 નાગરિકોને રસીનો પ્રથમ, 141153 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,21,718 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 8,72,84,752 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube