• માર્ચ મહિના પહેલા જ્યાં 96 ટકા બેડ ખાલી હતા. પરંતુ દર્દીઓ વધતા ફરી બેડ ફૂલ થઈ રહ્યા છે

  • શહેરમાં ઠેર ઠેર ટેસ્ટિંગ ડોમમાં ફરી એક વખત ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. 80 દિવસ બાદ ગુજરાતમાં ફરી એક વખત કોરોનાના કેસ 900ને પાર પહોંચી ગયા છે. તો 3 મહિના બાદ અમદાવાદમાં કોરોનાના દરરોજના કેસ 240ને પાર પહોંચી ગયા છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ ફરી કોરોનાના કેસમાં ધરખમ ઉછાળો આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં હોસ્પિટલોમાં બેડ ફૂલ થવા લાગ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં પણ 21 ટકા જટેલા બેડ ફૂલ થઈ ગયા છે. માર્ચ મહિના પહેલા જ્યાં 96 ટકા બેડ ખાલી હતા. પરંતુ દર્દીઓ વધતા ફરી બેડ ફૂલ થઈ રહ્યા છે. તો શહેરમાં ઠેર ઠેર ટેસ્ટિંગ ડોમમાં ફરી એક વખત ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. જેથી હોસ્પિટલોમાં ખાલી બેડ અંગે એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તાએ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું કડક અમલ કરાવવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. સોલિડ વેસ્ટ વિભાગના 225 સભ્યોની ટીમ તપાસ અભિયાન હાથ ધરાશે. જેમાં હોટલ, મોલ, મલ્ટિપ્લેકસમાં લગ્ન અને મરણપ્રસંગ સહિત તમામ સ્થળે ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય છે કે નહિ તેના પર નજર રાખશે. અમદાવાદમાં સતત કોરોનાના કેસ વધતા હોવાથી કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ‘લોકડાઉન પાર્ટ 2, ટ્રેલર સ્ટાર્ટ ટુડે...’ સુરત પોલીસના નામે ફેક લેટર ફરતો થયો


ટુર ઓપરેટર્સની ચિંતા વધી 
રાત્રે 10 વાગ્યા બાદ બસોને શહેરમાં પ્રવેશ ન મળવાને કારણે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર્સની વધી ચિંતા ગઈ છે. જોકે, બીજી તરફ અનેક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓપરેટર્સે સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમણે સરકારને અપીલ કરી કે પ્લેન અને ટ્રેનની જેમ તમામ બસ ઓપરેટર્સને પણ સગવડ મળે એ જરૂરી છે. રાત્રે 10 વાગ્યા બાદ 500 જેટલી બસોનું અમદાવાદમાં આવાગમન થતું હોય છે ત્યારે તમામ પેસેન્જરોની મુશ્કેલી વધશે. થોડા દિવસમાં હોળી અને ધુળેટી આવી રહી છે ત્યારે સરકારના નિર્ણયથી મુસાફરો મુસાફરી ટાળશે. જે લોકોએ એડવાન્સ બુકીંગ કરાવ્યા હતા તેઓ હવે બુકીંગ કેન્સલ કરાવી રહ્યા છે. મુસાફરોમાં કોરોનાનો ડર વધશે, જેથી તેની સીધી અસર આવક પર પડશે. રાજસ્થાન, એમપીમાં પરીક્ષાઓ માટે પણ હાલ બુકીંગ થઈ રહ્યા હતા તેના પર અસર પડશે. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જવા કોરોના ટેસ્ટ ફરજિયાત થયો ત્યારથી જ લોકો હેરાન થતા હતા. હાલ સમય 12 વાગ્યા સુધીનો હતો, તેના કારણે સમસ્યા ઘટી હતી. પણ હવે ફરી શહેરના બોર્ડર પર મુસાફરોને ઉતરવા પડશે જેથી સમસ્યાઓ વધશે. 


આ પણ વાંચો : બાળકોને મોબાઈલ પકડાવીને બિન્દાસ્ત થઈ જતા માતાપિતા સાવધાન, થઈ શકે છે આવું...


અમદાવાદના વધુ 14 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકાયા
​​​​​​​સિલ્વર ગાર્ડનિયા, ગોતા
ઇડન ગોદરેજ ગાર્ડન સિટી, ચાંદલોડિયા
વિક્રમનગર કોલોની, બોડકદેવ
શાયોના પુષ્પ એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા
સુપ્રભ એપાર્ટમેન્ટ, બકેરી સિટી, વેજલપુર
મહા શક્તિ સોસાયટી, જીવરાજપાર્ક
ગાર્ડન રેસિડન્સી, સાઉથ બોપલ
કાન્હા પાર્થ સારથી એવન્યુ, જોધપુર
સમય રેસિડન્સી, નિકોલ
અયોધ્યાનગરી, ડી. કેબિન, ચાંદખેડા
અક્ષર હીલ, ચાંદખેડા
આદિત્ય ગ્રીન્સ, ન્યુ સીજી રોડ, ચાંદખેડા
તુલસી શ્યામ ફ્લેટ, ભીમજીપુરા, જૂના વાડજ


રાજ્યના 2 જિલ્લામાં શૂન્ય કેસ
બોટાદ અને ડાંગ એમ કુલ 2 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.