ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા 54 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16 દર્દીઓ પણ સાજા થયા હતા. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ ઘટીને 98.74 ટકાએ પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં કુલ 8,16,687 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ 4,25,721 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. જો કે ધીરે ધીરે કોરોનાના વધી રહેલા આંકડા રાજ્ય સરકાર અને નાગરિકોની ચિંતા વધારી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સજાતીય સંબંધોએ વૃદ્ધનો લીધો જીવ? અમદાવાદની ચોંકાવનારી ઘટનાએ પોલીસને પણ ચકરાવે ચડાવી


રાજ્યમાં હાલ કુલ 291 કોરોનાના એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 283 નાગરિકો સ્ટેબલ છે. 8,16,687 નાગરિકો અત્યાર સુધીમાં કુલ ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. અમદાવાદ કોર્પોરેશન અને અમદાવાદમાં 28 કેસ સામે આવ્યા છે. સુરત કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 4, સુરત 3, વડોદરા 3, કચ્છ, રાજકોટ કોર્પોરેશન, વલસાડમાં 2-2 કેસ નોંધાયા હતા. ભરૂચ 1, જામનગર, જુગાનઢ કોર્પોરેશન, નવસારી, રાજકોટ અને તાપીમાં 1-1 કેસ નોંધાયા હતા. 


યુવતીએ કહ્યું, તને મળવાનું બઉ જ મન થાય છે પણ મારી સાસુ મને છોડતી નથી પણ જ્યારે મળીશ ત્યારે તને ખુશ કરી દઇશ અને...


રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 5 ને રસીનો પ્રથમ જ્યારે 2175 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 11559 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 100005 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 37811 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 274166 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 4,25,721 ડોઝ અપાયા છે. આ પ્રકારે કુલ 7,57,33,872 ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube