ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 581 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 453 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યાં છે. જો કે, રાજ્યમાં કુલ 2,66,766 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 97.17 થઇ ચુક્યો છે. આ ઉપરાંત 1,08,226 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surat: કોરોનાનો સૌથી ઘાતક બ્રિટિશ સ્ટ્રેનનાં દર્દીઓ ગુજરાતમાં મળી આવ્યા, સમગ્ર રાજ્યમાં હડકંપ


અત્યાર સુધીમાં કુલ 16,53,705 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 3,85,709 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,30,426 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.


આવો બાપ કોઇને ન મળે! એસિડ એટેક કરી પત્નીને મારી નાખી, પુત્રીઓ સાથે એવું કર્યું કે માનવતા શર્મસાર


રાજય સ૨કા૨ના આરોગ્ય વિભાગની અસ૨કા૨ક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે અને કોરોલાના કેસો કાબુમાં આવ્યા હતા. જો કે હવે ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. રાજયમાં અરવલ્લી, બોટાદ, ડાંગ અને પોરબંદર એમ કુલ 04 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 581 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 453 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 97.17 ટકા જેટલો છે. આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે 2,66,766 કુલ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.


Gujarat : દાંડીયાત્રા બનશે ગ્લોબલ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહપ્રધાન સહિત અનેક મંત્રીઓ આપશે હાજરી


જો રાજ્યમાં એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3338 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 43 છે. જ્યારે 3295 લોકો સ્ટેબલ છે. 2,66,766 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,418 લોકોનાં મોત નિપજ્યા છે. આજે કોરોનાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનનાં 1 સહિત ગુજરાતમાં કુલ 2 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube