અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વિકટ થતી જાય છે. રોજ કોરોનાના આંકડા પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. તેવામાં આજે ગુજરાતનાં નવા 2410 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2015 લોકો રિકવર થઇને પરત ફરી ચુક્યા છે. આ પ્રકારે કુલ 2,92,584 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. જો કે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ 94.35 ટકાએ પહોંચ્યો છે. જો કે બીજી તરફ સરકારે વેક્સિનેશન બાબતે પણ નવો રેકોર્ડ સ્થાપ્યો છે. 4,54,638 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવભૂમિ દ્વારકા: જમીન પચાવી પાડનાર નાયબ મામલતદાર અને જમાઇની ધરપકડ


આજથી 45થી વધારે વય ધરાવતા તમામ લોકોનાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 53,68,002 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું 6,97,680 વ્યક્તિઓનાં બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું. આ પ્રકારે કુલ 60,68,682  રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. 60 વર્ષથી વધારે વયના અને 45-60 વર્ષના કુલ 3,69,262 લોકોને પ્રથમ ડોઝનું અને 28,635 લોકોને બીજા ડોઝનું રસિકરણ પુર્ણ કરવામાં આવ્યું. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીકરણની આડઅસર જોવા મળી નથી. 


VADODARA: માતેલા સાંઢની જેમ ફરી રહ્યા હો તો સાવધાન, ગણતરીના બેડ જ ખાલી, કોઇ નહી પકડે હાથ


જો રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 12996 કેસ એક્ટિવ છે જે પૈકી 155 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 12841 લોકો સ્ટેબલ છે. આ ઉપરાંત 2,92,584 લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. 4528 લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 1 અને ભાવનગરમાં 1 આ પ્રકારે કુલ 9 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube