ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા 35 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 17 દર્દીઓ પણ સાજા થયા હતા. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ ઘટીને 98.75 ટકાએ પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં કુલ 8,16,671 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તફ 5,05,556 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. જો કે ધીરે ધીરે કોરોનાના વધી રહેલા આંકડા રાજ્ય સરકાર અને નાગરિકોની ચિંતા વધારી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિચિત્ર ચોર: પોલીસે પણ કાન પકડ્યાં કે આખુ જીવન નોકરી કરતી પણ આવો ચોર નથી જોયો


રાજ્યમાં હાલ કુલ 253 કોરોનાના એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 250 નાગરિકો સ્ટેબલ છે. 8,16,671 નાગરિકો અત્યાર સુધીમાં કુલ ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. અમદાવાદ કોર્પોરેશન અને અમદાવાદમાં 20 કેસ સામે આવ્યા છે. રાજકોટ કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 3, વલસાડ 2, કચ્છ અને નવસારીમાં 1-1 કેસ સામે આવ્યા છે આ પ્રકારે કુલ આજના દિવસમાં 35 નવા કેસ નોંધાયા છે. 


મોરબીમાં પહેલા હીરોઇન આવી અને પછી હેરોઇન આવ્યું, શું કંઇક અલગ જ રંધાઇ રહ્યું છે?


રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7 ને રસીનો પ્રથમ જ્યારે 1424 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 13044 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 119991 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 40516 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 330574 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 5,05,556 ડોઝ અપાયા છે. આ પ્રકારે કુલ 7,53,08,151 ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube