ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ફૂંફાડો માર્યો છે. રાજ્યમાં આજે નવા 23,150 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 10,103 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,05,833 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ઘટીને 86.60 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 1,88,588 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


(ગુજરાતમાં નવા નોંધાયેલા કેસ, મૃત્યુ, ડીસ્ચાર્જ અને રસીકરણ અંગેના આંકડા)


એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 129875 કુલ કેસ છે. જે પૈકી 244 વેન્ટિલેટર પર છે. 129631 નાગરિકો સ્ટેબલ છે. 9,05,833 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ તઇ ચુક્યા છે. 10230 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન  વર્કર પૈકી 11 ને પ્રથમ 256 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 5547ને પ્રથમ 20484 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24848 ને પ્રથમ 58029 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 37389 રસીના ડોઝ જ્યારે 42024 ને પ્રીકોર્શન ડોઝ અપાયો છે. આ પ્રકારે કુલ 1,88,588 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 9,62,28,391 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube