અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે.  આજે રાજ્યમાં 1432 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1470 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 102571 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 61432 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 945.11 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 37,39,782 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1432 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1470 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,02,571 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.12% ટકા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવા માથાભારે આરોપી કે વડોદરાના PI પાણીપુરી વેચવા માટે થયા મજબુર


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,08,857 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,08,437 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 420 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. 


નડિયાદમાં વ્યાજખોરોએ 91 લાખ રૂપિયાની સામે 4 કરોડ રૂપિયા પડાવ્યા અને તેમ છતા પણ...


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16054 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 97 છે. જ્યારે 15957 લોકો સ્ટેબલ છે. 102571 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3305 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 16 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી સુરત 4, અમદાવાદ કોર્પોરેશન 3, અમરેલી 1, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર કોર્પોરેશન 1, કચ્છ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1 અને વડોદરા કોર્પોરેશન 1 સહિત કુલ 16 લોકોનાં આજના દિવસમાં મોત નિપજ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube