ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 407 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 190 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,806 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.97 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 55,638 રસીના ડોઝ અપાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદરનું વહાણ સેંકડો વાહનો સાથે સલાલામાં ડુબી ગયું, આખા કિનારે ગાડીઓ જ ગાડીઓ...


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1741 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 1737 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,806 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 207, વડોદરા કોર્પોરેશન 39, સુરત કોર્પોરેશન 45, રાજકોટ કોર્પોરેશનમાં 17, સુરતમાં 12, ભાવનગર કોર્પોરેશનમાં 11, ગાંધીનગર કોર્પોરેશન 10, વલસાડ 8, ભરૂચ 7, જામનગર કોર્પોરેશનમાં 7,  આણંદ-ગાંધીનગર 6-6, સાબરકાંઠા 5, બનાસકાંઠા, કચ્છ અને મહેસાણામાં 4-4, અમદાવાદ અને રાજકોટમાં 3-3, જામનગર, નવસારી, વડોદરામાં 2-2, અમરેલી, પાટણ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે. 


કચ્છમાં ઉંટડીના દૂધ ઉત્પાતન અંગે અનોખો સેમિનાર, માલધારીઓને અપાયું માર્ગદર્શન


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1037 નાગરિકોને રસીનો પ્રથમ અને 11245 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 836 ને રસીનો પ્રથમ અને 2247 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 24974 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 5936 ને રસીનો પ્રથમ અને 9663 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 55,638 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,10,21,457 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube