ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 5469 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 5469 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2976 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,15,127 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 90.69 ટકાએ પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર ઘુંટણીયે: અમદાવાદમાં જો 2 કલાકમાં ઓક્સિજન નહી મળે તો પરિસ્થિતિ બેકાબુ બની જશે


અત્યાર સુધીમાં 80,55,986 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 10,67,733 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 91,23,719 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 1,78,151 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 34,452 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


મોટો નિર્ણય: ગુજરાત રાજ્યની તમામ કોલેજોમાં ૩૦મી એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 27,568 એક્ટિવ દર્દી છે, જે પૈકી 203 લોકો વેન્ટિલેટર પર છે અને 23,365 લોકો સ્ટેબલ છે. 3,15,127 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4800 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 54 લોકોનાં દુખદ નિધન થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન 19, સુરત કોર્પોરેશનમાં 16, વડોદરા કોર્પોરેશન 7, રાજકોટ કોર્પોરેશન 5, બનાસકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1 અને જામનગરમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ પ્રકારે કુલ 54 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube