ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના 45 નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 36 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,17,239 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. આજે કુલ 4,00,273 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમિક્રોનના એક કેસે રાજ્ય સરકારની ઉંઘ ઉડાડી! CM ની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકોનો દોર


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 326 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. 320 નાગરિકો સ્ટેબલ છે. 8,17,239 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10094 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનમાં 12 કેસ, ભાવનગર કોર્પોરેશન 11, સુરત કોર્પોરેશન 5, વડોદરા કોર્પોરેશન 5, દાહોદ 3, નવસારી, રાજકોટ અને વલસાડમાં 2-2 અને કચ્છ તથા રાજકોટ કોર્પોરેશનમાં 1-1 કેસ સામે આવ્યા છે. આ પ્રકારે કુલ 44 કેસ સામે આવ્યા છે. 


આ જાડી ચામડીના ભ્રષ્ટાચારી બાબુઓ બેશરમ બનતા જાય છે? જગતના તાતને પણ નથી છોડતા!


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 12ને પ્રથમ અને 1103 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 11698 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 93076 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 37109 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 257275 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ 4,00,273 નાગરિકોનું આઝના દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે. અત્યાર સુધીમાં કુલ 8,26,94,130 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube