ગાંધીનગર: દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 600 થી નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 544 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 1,505 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,96,208 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.23 ટકાએ પહોંચ્યો હતો. 

જો તમે પરસેવાની કમાણીના પૈસાનું રોકાણ કરવા ઇચ્છતા હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લેજો


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 12,711 એક્ટિવ દર્દી છે, જે પૈકી 316 લોકો વેન્ટિલેટર પર છે અને 12,395 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,96,208 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,976 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 1, અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

Viral Video: સુરતની મહિલા હોમગાર્ડને વર્દીમાં વિડીયો બનાવવો ભારે પડ્યો


આ ઉપરાંત જુનાગઢમાં 1, અમરેલીમાં 1, મહીસાગરમાં 1, મહેસાણામાં 1, જામનગરમાં 1, અને ભાવનગરમાં 1 એમ કુલ રાજ્યમાં 11 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,68,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube