અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. જો કે આજનો દિવસ રાહતરૂપ રહ્યો હતો. આજે રાજ્યમાં 1351 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1334 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,18,565 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 56,738 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 872.89 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 44,74,766 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1351 કેસ નોંધાયા છે જ્યારે 1334 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,18,565 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 85.46% ટકા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવુડનાં દિગ્ગજો સુરતમાંથી ખરીદતા હતા ડ્રગ્સ? આદિલ નુરાનીની ધરપકડ, થશે અનેક ખુલાસા


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,01,170 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,01,170 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 404 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ 85.46 ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. 


પાયલોટ બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સરકારની મોટી ભેટ, આ પ્રકારે થશે ખાસ ટ્રેનિંગ


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16717 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 89 છે. જ્યારે 16628 લોકો સ્ટેબલ છે. 118565 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3463 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 10 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 2, સુરત 2, પંચમહાલ 1, સાબરકાંઠા 1 અને વડોદરાના 1 દર્દી સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાને કારણે કુલ 10 લોકોનાં મોત નિપજ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube