અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1067 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1021 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 63065 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 970.23 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 18,19,198 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1067 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1021 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 70,250 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80 % ટકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં ખાડી ફરી બનશે આફત? સતત વરસતા વરસાદના કારણે પુરની સ્થિતી પેદા થઇ


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,73,466 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,72,951 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 515 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.


આફતનો વરસાદ: સૌરાષ્ટ્રમાં 15 ઇંચ સુધી વરસાદથી આફત, વલસાડમાં લાંગરેલી હોડી જાફરાબાદ પહોંચી


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14686 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 75 છે. જ્યારે 14611 લોકો સ્ટેબલ છે. 70250 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2910 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 13 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 3, રાજકો કોર્પોરેશન 2, સુરત 2, વડોદરા કોર્પોરેશન 2 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ પ્રકારે આજે કોરોનાના કારણે કુલ 13 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર