કેતન બગડા, અમરેલી: હાલ ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ગુજરાતમાં આ વાવાઝોડાથી મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે હવે નવું સંકટ આવ્યું. રાજુલા જાફરાબાદ તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાં મુજબ આ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપ 3.8ની તીવ્રતાનો હતો. ભૂકંપનો આ આંચકો વહેલી સવારના 3.33 વાગ્યાની આસપાસ અનુભવાયો હતો. 


ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જામનગર, ભાવનગર, અમદાવાદમાં વરસાદ


મળેલી માહિતી મુજબ ગ્રામીણ વિસ્તારમાં આ આંચકાને વધુ લોકોએ અનુભવ્યો હતો. હજુ સુધી જોકે કોઈ નુકસાનના સમાચાર નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube