ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણીની જાહેર થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કુલ 169 ઉમેદવારોની જાહેરાત કરી છે. પરંતુ કેટલીક બેઠકો પર આપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. બોટાદ, ગઢડા, ધંધુકા સહિત લીંબડી બેઠકના ઉમેદવારો સામે આમ આદમી પાર્ટીમાં રોષ ચરમ સીમાએ પહોંચ્યો છે. ત્રણેય બેઠકોના કાર્યકરોએ પક્ષને ચીમકી આપી છે કે જો ઉમેદવાર સ્થાનિક નહીં હોય તો કાર્યકરો જ પક્ષને નડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ આદમી પાર્ટી રાજ્યની ઘણી બેઠકો પર
બોટાદના સાળંગપુર રોડ પર ત્રણેય વિધાનસભાના કાર્યકરોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજભા ઝાલા હાજર રહ્યા હતા. ત્યારે આપના કાર્યકરોની નારાજગીને રાજભાએ સમર્થન આપ્યું હતું અને પાર્ટી નિર્ણય ના બદલે તો આપના ઉમેદવારો સામે આપના જ કાર્યકરો લડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી  હતી. જેથી હવે બોટાદ, ગઢડા, ધધુકા, લીંબડી બેઠક પર આપ માટે કપરા ચઢાણ થવાના છે.


આ પણ વાંચોઃ Election 2022: ભાજપના ચાર દિગ્ગજ નેતાઓની મોટી જાહેરાત, નહીં લડે વિધાનસભા ચૂંટણી


આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી 169 ઉમેદવાર જાહેર કર્યાં
આમ આદમી પાર્ટી અત્યાર સુધી પોતાના ઉમેદવારોની 13 યાદી જાહેર કરી ચુકી છે. જેમાં અત્યાર સુધી 169 ઉમેદવારો જાહેર થયા છે. હજુ સુધી આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રીના ચહેરા ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તે જાહેરાત કરી નથી. તો આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતની કતાર ગામ વિધાનસભાથી ચૂંટણી લડશે. તો મનોજ સોરઠિયા કારંજ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવાના છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube