Arvind Kejriwal In Gujarat: વિધાનસભાની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી રાજ્યમાં જોરદાર પ્રચાર કરી રહી છે. આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ બાદ સુરેન્દ્રનગર પહોંચ્યા છે. કેજરીવાલે અહીં ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યાં. કેજરીવાલે અહીં સરપંચો સાથે વાતચીત કરી હતી. અહીં તેમણે  કેજરીવાલે હવે પંચાયતોને લઈને જાહેરાત કરી છે. 


સુરેન્દ્રનગરમાં સરપંચ અને VCE સંમેલનમાં અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે સરપંચોને દર મહિને 10 હજાર પગાર અપાશે. VCને 20 હજારનું માનદ વેતન આપીશું, ગામના પંચાયત દ્વારા મોહલા ક્લિકનીક ખોલવામાં આવશે, દવાઓ પણ ફ્રી આપવામાં આવશે. પંચાયતના વિકાસ કામ માટે 10 લાખનું ફંડ અપાશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube