ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં ભાજપની કારોબારી બેઠક મળી હતી. ડો.ભરત બોઘરાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જોકે, ચૂંટણી પંચ પહેલા ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ આંચર સહિતાની તારીખ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો હતો. ભરત બોઘરાએ કાર્યકરોને કહ્યું, 15 ઓક્ટોબર સુધીમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી જશે. કાર્યકરો માટે 100 થી સવાસો દિવસ જ તૈયારીઓ કરવાના મળશે. કોંગ્રેસે ચૂંટણી પંચ ભાજપના પ્રમાણે કામ કરતુ હોવાનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરત બોધરાએ કહ્યું, હવે સમય નથી તૈયારીઓ શરૂ કરી દો 
રાજકોટ જિલ્લા ભાજપની કારોબારીમાં ભરત બોઘરાએ કાર્યકર્તાઓને મોટા સંકેત આપ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને કહ્યુ હતું કે, ચૂંટણી ડિસેમ્બરમાં નિશ્ચિત સમયે આવવાની છે. આપણી પાસે 120 દિવસ બાકી છે. 15 ઓક્ટોબર પછી આપણી પાસે સમય નહીં રહે એટલે તૈયારીઓ શરૂ કરી દો. આમ, અત્યારથી કામે લાગવા ભરત બોઘરાનું કાર્યકરોને આહવાન કર્યુ હતું. 


આ પણ વાંચો : સિંહબાળના મોઢામાં આવી ગયુ ચપ્પલ... આ તસવીર જોઈને તમારું લોહી ન ઉકળે તો કહેજો


કોંગ્રેસના ભાજપ પર પ્રહાર
જોકે, આચાર સંહિતા મામલે ભરત બોઘરાના નિવેદન પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ ભાજપ પર આરોપ મૂક્યા કે, ચૂંટણી પંચ ભાજપના પ્રમાણે કામ કરે છે. સાથે જ ચૂંટણીપંચની જવાબદારી પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. ભાજપના નેતા નિવેદન પર કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ કહ્યુ કે, ચૂંટણીપંચ સ્વાયત્ત સંસ્થા છે. ચૂંટણીપંચ ભાજપના ગજવામાં છે તેવો સંદેશો ભાજપ આપવા માંગે છે. ભાજપના નેતાઓ દ્વારા વારંવાર આવા નિવેદનો આપે છે. ચૂંટણીપંચ ભાજપ કહે તેમ કામ કરે છે? ચૂંટણીપંચની જવાબદારી અને તેની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભા થાય છે. ચૂંટણીપંચ સ્વાયત્ત સંસ્થા છે, બંધારણે તે અધિકાર આપ્યા છે. 


આ પણ વાંચો : નર્મદા નદી ખતરામાં... મળી એવી ઘાતક માછલી, જે અનેક માછલીઓનો કરી દેશે સફાયો


ભરત બોધરાનો ખુલાસો 
તો આ મામલે વિવાદ થતા ભરત બોઘરાએ ખુલાસો કરતા કહ્યુ હતું કે, ચૂંટણી ડિસેમ્બર આવે એ નિશ્ચિત સમય છે. આથી એના બે મહિના પહેલા ચૂંટણીની એક્ટિવિટી થતી હોય છે. એટલે 15 ઓક્ટોબર પછી અમારી પાસે કામ કરવાનો સમય નથી. એટલે હવે 120 દિવસ બાકી છે. 120 દિવસમાં કાર્યકર્તાઓએ શિડ્યુલ જોઇને કામ કરવું જોઇએ એવું માર્ગદર્શ આપ્યું હતું. ચૂંટણીપંચનું કામ છે ચૂંટણી જાહેર કરવી, પરંતુ ભાજપના કાર્યકર્તા તરીકે આખા ગુજરાતના આપણે બધા જાણીએ છીએ કે ચૂંટણી ડિસેમ્બર મહિનામાં નિશ્ચિત સમયે આવવાની છે. ડિસેમ્બરના બે મહિના પહેલા ચૂંટણીપંચની કાર્યવાહી ચાલતી હોવાથી અમારા કાર્યકર્તા પાસે સમય ન હોય. જેથી આ નિવેદન આપ્યું હતું.


આ પણ વાંચો : PM Modi એ આદિવાસીઓને વચન આપીને કહ્યું, હવે તમારુ જીવન પાણીદાર બનાવવું છે


આ પ્રશ્ન ભરતભાઈને જ પૂછો - કુંવરજી
ભરત બોધરાના નિવેદન અંગે પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યુ કે, આચાર સંહિતા ચૂંટણી પંચ નક્કી કરી શકે છે. કાર્યક્રમમાં ભરતભાઈએ તૈયારીઓ કરવા કાર્યકરોને કહ્યું હતું. આ પ્રશ્ન ભરતભાઈને જ પૂછો. તો પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ કહ્યુ કે, ચૂંટણી નિયત સમયમાં જ યોજાશે. ચૂંટણી નજીક આવતી હોવાથી કહ્યું છે. કાર્યકરોને તૈયારીઓ કરવા કહ્યું હતું. આંચાર સંહિતા તો ચૂંટણી પંચ જ જાહેર કરે.