Gujarat Lok Sabha Exit Poll Result: EXIT POLLના આંકડાઓ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે અને દેશમાં કોની સરકાર બનશે? તે EXIT POLLના આંકડામાં સામે આવી ચૂક્યું છે. ત્યારે ગુજરાતમાં EXIT POLL પ્રમાણે કોંગ્રેસ-AAPનું ગુજરાતમાં ખાતું પણ નહીં ખુલે. ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 સાકાર થશે. કોંગ્રેસ-AAPનું ગઠબંધન પણ ભાજપ સામે ફેલ થતું દેખાઈ રહ્યું છે. EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ભાજપનો વોટશેર ઘટશે, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસનો વોટશેર વધશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનો વોટશેર વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ભાજપ 26 એ 26 બેઠકો જીતી રહ્યું છે. પરંતુ EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ભાજપનો વોટશેર ઘટશે. જી હા... EXIT POLL પ્રમાણે ગુજરાતમાં દરેક સીટ પર કોંગ્રેસ હારી રહી છે, તેમ છતાં વિપક્ષનો વોટશેર વધશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનો વોટશેર વધશે. 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસનો વોટશેર 26.5% હતો. ત્યારે EXIT POLL પ્રમાણે 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં વિપક્ષનો વોટશેર 36થી 40% થશે.



2022ની ચૂંટણીમાં ભાજપનો વોટશેર 53.8 ટકા હતો, જે EXIT POLL પ્રમાણે 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનો વોટશેર 50% થશે. 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં અન્યના ફાળે 10% વોટશેર જશે. વિધાનસભાની સરખામણીમાં લોકસભામાં ભાજપનો વોટશેર ઘટશે. 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનો વોટશેર 50% આસપાસ રહેશે. 


EXIT POLLમાં એક મોટી વાત સામે આવી છે કે ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગંઠબંધન કરવાથી AAPને મોટું નુકસાન થઈ રહ્યું છે. ગઠબંધન કરવાથી કોંગ્રેસ ફાયદામાં પણ AAPને નુકસાન થઈ રહ્યું છે. હાલ વિધાનસભા ચૂંટણી થાય તો કોંગ્રેસને 40થી વધુ સીટ મળે તેમ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 17 સીટ મળી હતી. પરંતુ 2024માં ગુજરાતમાં કોંગ્રેસ ખાતું ન ખોલાવીને પણ ફાયદામાં રહી છે. 2024માં ગુજરાતમાં AAPને દેખીતી રીતે નુકસાન થઈ રહ્યું છે. 


નોંધનીય છે કે, ભાજપ સુરત સીટ બિનહરીફ જીત્યા બાકીની 25 પણ ભાજપને મળશે. 2014 અને 2019 બાદ 2024માં પણ મિશન 26 સાકાર થશે. EXIT POLL પ્રમાણે PM મોદી માટે જનતાએ મતદાન કર્યું.