Junagadh News : જૂનાગઢમાં યોજાયેલ શ્રીમદ ભાગવત કથામાં વક્તાએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જોશીપુરામાં યોજાયેલ ભાગવત કથાના છેલ્લા દિવસે મનોજ શાસ્ત્રીએ વ્યાસપીઠ પરથી દામોદર કુંડની દુર્દશા મુદ્દે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે વ્યાસપીઠ પરથી વ્યથા ઠાલવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાગવત કછામાં કથાકાર મનોજ શાસ્ત્રીએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ભાજપનું શાસન છતાં દામોદર કુંડનો વિકાસ નથી થયો. ભગવાન શ્રીકૃષ્ણ 52 વખત જુનાગઢ દામોદર કુંડ આવ્યા હતા. ભાજપના સાંસદ, ધારાસભ્ય, ભાજપની મનપામાં બોડી છતાં કેમ ન થયો દામોદર કુંડનો વિકાસ? તળાવના બ્યૂટીફિકેશન કરવા કરતાં તંત્ર કરે દામોદર કુંડનો ઉદ્ધાર. 


નરસિંહ મહેતાના કારણે ભગવાન જ્યારે આવતા ત્યારે તે દામોકુંડમાં આવતા તે દામોકુંડની હાલત આજે કેવી છે તે ઉપરથી આ શાસ્ત્રીજી બોલ્યા હતા. આ સાથે જ દામોદર કુંડના વિકાસ માટે આવતા પૈસા સગેવગે થયાના મનોજ શાસ્ત્રીએ આક્ષેપ કર્યા હતા. જુનાગઢ મનપા તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. 


ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : આજે 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહી


 


ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે આવ્યો વરસાદ, હિંમતનગરમાં મેઘરાજાની જોરદાર બેટિંગ