Big Decision By Gujarat Government હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્ય સરકારની સરકારી કચેરીઓમાં વીજળી અને પાણીના બગાડને અટકાવવા તાકીદ કરવામાં આવી છે. રાજ્ય સરકારે પરિપત્ર કરીને તમામ સરકારી કચેરીના વડાઓને આદેશ કર્યો છે. સરકારી અધિકારી કર્મચારીઓ ઓફિસમાં કોઈ ન હોય તો પણ લાઈટ પંખા અને કોમ્પ્યુટર ચાલુ રહેતા હોય છે તેને તાકીદે અટકાવવામાં આવે. એ જ પ્રકારે વોશરૂમ અને શોચાલયમાં પણ પાણી લીકેજ કે પાણીનો બગાડ થતો હોય છે તેને પણ અટકાવવામાં આવે. ઓફિસ અવર બાદ કે લંચ બ્રેક સમયે જાતે લાઈટ પંખા ની સ્વીચ બંધ કરવા અને સ્વિચ બંધ ચાલુ કરવાની ટેવ પાડવા ની તાકીદ કરાઈ છે. પરંતુ આ બાબતે ઝી 24 કલાકે સરકારી ઓફિસોમાં રિયાલિટી ચેક કરતા સરકારી બાબુઓની આળસ સ્પષ્ટ દેખાઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે હકીકત ઓ છે કે, રાજ્ય સરકાર ભલે વીજળી બચાવવા માટે આદેશ કરતી હોય પણ સરકારી બાબુઓ સરકારી આ દેશને ઘોળીને પી જાય છે. zee 24 કલાકના રિયાલિટી ચેકમાં કૃષિ ભવનમાં આવેલી કચેરીઓમાં અધિકારી કર્મચારી વગર વીજળીનો દુરુપયોગ સ્પષ્ટ જોવા મળ્યો. તો ચેમ્બરમાં અધિકારી ગેરહાજર હોય પણ લાઈટને પંખા ચાલુ નજરે પડ્યા. અધિકારી આવે એટલે એને ગરમી ન લાગે એટલા માટે અધિકારીની ગેરહાજરીમાં પણ એસી ચાલુ રાખવામાં આવી હતી. 


રાજકોટમાં 12 વર્ષના બાળકનું મોત, સોરઠીયા પરિવારનો સ્વસ્થ દીકરો સવારે મૃત મળ્યો


રાજ્ય સરકારની સરકારી કચેરીઓમાં વીજળી અને પાણીના બગાડને અટકાવવા માટે રાજ્ય સરકારે પરિપત્ર કરીને સરકારી કચેરીઓના વડાને આદેશ કરી તાકીદ કરી છે કે સરકારી અધિકારીઓ ,કર્મચારીઓ ઓફિસમાં કોઈ ન હોય તો લાઈટ પંખા અને કોમ્પ્યુટર ચાલુ ન રાખે તો ઓફિસ અવરજવર બાદ કે લંચ બ્રેક સમયે જાતે જ લાઈટ પંખાની સ્વીચ બંધ કરવા અને સ્વીચ બંધ ચાલુ કરવાની ટેવ પાડવાની તાકીદ કરી છે જેને લઈને વીજળી બચાવવા માટે બનાસકાંઠાની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ તેનો અમલ કરે છે કે નહીં તેનું રિયાલિટી ચેક કરવા અમારી ટીમ પાલનપુરની કલેક્ટર કચેરીમાં આવેલી અધિક ચિટનીશ શાખામાં પહોંચી તો ત્યાં કોઈ જ કર્મચારી કે અધિકારી હાજર ન હોવા છતાં કચેરીની તમામ લાઈટો અને પંખા ચાલુ જોવા મળ્યા હતા અને વીજળીનો બેફામ વપરાશ થઈ રહ્યો હતો અને અધિકારીઓ સરકારી પરિપત્રના લીરેલીરા ઉઠાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવતા સરકારી બાબુઓની ઘોર લાપરવાહી સામે આવી હતી.


 


ઉત્તરાખંડ અકસ્માતમા મોતને ભેટનાર શ્રદ્ધાળુઓની અંતિમવિધિ, સ્વજનોએ રડતા રડતા આપી વિદાય


 


અમદાવાદના ગુમ પાટીદાર યુવકની લંડનમાં લાશ મળી, આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો


પાલનપુરની પુરવઠા અધિકારીની ઓફિસમાં કોઈ કર્મચારીઓ કે અધિકારી ન હોવા છતાં પણ ઓફિસની તમામ લાઈટો ચાલુ જોવા મળી રહી છે..ખુદ પુરવઠા અધિકારીની ચેમ્બરમાં તમામ લાઈટો અને 6 પંખા ચાલુ છે.