અમદાવાદ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ફૈઝાબાદ જિલ્લાનું નામ અયોધ્યા કરવાની જાહેરાત કર્યાના થોડા સમય પછી ગુજરાતની સરકારે મંગળવારે કહ્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જો કોઈ કાયદાકીય અવરોધ અસ્તિત્વમાં આવે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર અમદાવાદનું નામ બદલવા માટે તૈયાર છે, જો તે કાનૂની અવરોધોને પાર કરે અને જરૂરી સમર્થન મેળવે.


પટેલે કહ્યું, "લોકોમાં હજુ પણ એક લાગણી છે કે અમદાવાદનું નામ કર્ણવતી કરવામાં આવે. જો અમને કાયદાકીય અવરોધો દૂર કરવા માટે આવશ્યક ટેકો મળે, તો અમે મહાનગરનું નામ બદલવા માટે હંમેશા તૈયાર છીએ."


યુપીના ફૈઝાબાદ જિલ્લો હવે અયોધ્યા તરીકે ઓળખાશે
તમને જણાવી દઇએ કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે જાહેરાત કરી હતી કે, ફૈઝાબાદ જિલ્લો હવે અયોધ્યા તરીકે ઓળખાશે. આ પહેલા પણ ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું હતું


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહ્યું, 'અયોધ્યા' અમારી આન, બાન, અને શાનનું પ્રતિક છે. અયોધ્યા સાથે અન્યાય કરી શકતા નથી, આ સાથે તેમણે કહ્યું કે અયોધ્યાની ઓળખ ભગવાન રામથી છે. દિવાળીના તહેવાર પર આયોજીત દીપોત્સવમાં આ વાત કરી હતી.


તેમણે અયોધ્યામાં ભગવાન રામના નામનું એક નવું એરપોર્ટ અને ભગવાન રામના પિતા રાજા દશરથના નામ પર જિલ્લામાં એક મેડિકલ કોલેજની સ્થાપનાની જાહેરાત કરી હતી.


આદિત્યનાથે કથા પાર્કમાં આયોજી એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, દીપોત્સવ નવી પરંપરા શરૂ કરે છે. કથા પાર્કમાં આયોજીત કાર્યક્રમમાં દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જુંગ-સૂત પણ શામેલ થયા હતા. આ તહેવાર પર રામની પૈડીનું પુન: વિકાસ અને બ્યૂટીફિકેશન અને સરયુ નદીમાં ગટરનો પ્રવાહ પર પ્રતિબંધ સહિત અનેક યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે.
(ઇનપુટ ભાષા)


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો...