ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતના એક ડોક્ટરે 2009માં લગ્ન કર્યા હતા. પત્ની પણ આયુર્વેદિક ડોક્ટર હતી પણ તે એક સંપ્રદાયની ભક્ત હતી. લગ્ન બાદ પત્નીએ પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી હતી. તે સતત આવું કરતી અને હંમેશા બહાના બનાવતી હતી. અંતે પતિએ હાઈકોર્ટમાં અરજી કરતાં કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી ઘાતક આગાહી! પવનની દિશા બદલાતા ગુજરાત પર ફરી એકવાર મોટો ખતરો, તૈયાર રહેજો...


ગુજરાત હાઈકોર્ટે એવા પુરુષને છૂટાછેડાની મંજૂરી આપી છે જેની પત્ની સ્કિઝોફ્રેનિયાથી પીડાતી હતી. તે એક સંપ્રદાયના પ્રભાવ હેઠળ આવી અને તેણીની વૈવાહિક જવાબદારીઓને પૂર્ણ કરવાનો ઇનકાર કર્યો. તેના પતિ સાથે ક્યારેય શારીરિક સંબંધો નહોતા. હંમેશા બ્રહ્મચર્યનું પાલન કર્યું. તેને સ્વચ્છતાની ઘેલછા હતી. ફેમિલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી પરંતુ હાઈકોર્ટે તેનો સ્વીકાર કર્યો હતો. આ કપલના લગ્ન 2009માં થયા હતા. પતિ વ્યવસાયે ડોક્ટર છે. એમડી કર્યા પછી, તેણીએ આયુર્વેદિક ડૉક્ટર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી પહેલી જ રાત્રે પત્નીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી.


ચા કરતા કિટલી ગરમ! રીવાબાના નામે ડ્રાઈવરની દાદાગીરી, ગાડી પાર્ક કરવાના મામલે તકરાર


પતિએ 2012માં કેસ કર્યો હતો
પતિએ કોર્ટમાં કહ્યું કે જ્યારે પણ તે તેની પત્ની પાસે ગયો ત્યારે તેણે કોઈને કોઈ બહાનું બનાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઈન્કાર કર્યો. ક્યારેક તે દિવસ વિશે વાત કરે છે તો ક્યારેક મુહૂર્ત વિશે. અંતે નારાજ થઈને પતિએ 2012માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો.


શું હોય છે Blue Aadhaar Card? તમારા આધાર કરતાં કેટલું હોય છે અલગ, આ રીતે કરો એપ્લાય


ઘણી વખત નહાવાની ટેવ હતી
પતિએ પત્ની પર ક્રૂરતાનો આરોપ લગાવ્યો. તેણે એ પણ જણાવ્યું કે તે દિવસમાં ઘણી વખત સ્નાન કરતી હતી. તે જેટલી વખત શૌચાલયમાં જાય તેટલી વાર તે સ્નાન કરતી હતી. બહારથી ઘરે આવ્યા પછી સ્નાન કરતી હતી.જો કોઈ તેને સ્પર્શે તો તે તરત જ જઈને સ્નાન કરી લેતી. તેને સ્વચ્છતા પ્રત્યે લગાવ હતો. તે આધ્યાત્મિક સંપ્રદાયની પણ અનુયાયી હતી અને તેની સાથે જાતીય સંબંધો બાંધવા તૈયાર ન હતી.


‘રીવાબાએ મારા પુત્ર પર જાદુ કર્યો છે’, પિતાના આરોપ બાદ રવીન્દ્ર જાડેજાની સ્પષ્ટતા


પતિને ધમકી આપતી હતી
પતિએ કોર્ટમાં જણાવ્યું કે પત્નીએ તેને ધમકી પણ આપી હતી કે જો તે તેની સાથે સેક્સ કરશે તો તે આત્મહત્યા કરી લેશે. તેણે દલીલ કરી હતી કે લગ્ન પહેલાં તેને તેની પત્નીની માનસિક સ્થિતિ વિશે અંધારામાં રાખવામાં આવ્યો હતો અને આ ક્રૂરતા સમાન છે.


અરેરે! પતરાના શેડમાં ચાલી રહી છે ભાવનગરમાં સરકારી હૉસ્પિટલ, 40 ગામના દર્દીઓને હાલાકી


પતિએ આ પુરાવા આપ્યા
2018માં, ફેમિલી કોર્ટે પતિના દાવાઓને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ફેમિલી કોર્ટના આદેશ સામે પતિએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટમાં, તેને તેની પત્નીની સ્કિઝોફ્રેનિયાની સારવાર કરનારા ડોક્ટરો અને અન્ય સાક્ષીઓની જુબાની આપી હતી. તેણે એ પણ જણાવ્યું કે તેની પત્ની 2011થી તેની સાથે નથી રહેતી.


સુરતમા બિલ્ડર બન્યો હનીટ્રેપનો ભોગ! યુવતીએ મજા કરવા ઘરે બોલાવ્યો, બારી બારણા બંધ કરી


હાઈકોર્ટે શું કહ્યું
ગુજરાત હાઈકોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે પત્નીની તબીબી સ્થિતિ, તેણીની વૈવાહિક જવાબદારીઓને પૂર્ણ કરવાનો ઇનકાર અને 12 વર્ષ સુધી લગ્નના ઘરથી દૂર રહેવું એ લગ્ન તૂટી ગયું હતું અને તે ભરપાઈ ન થઈ શકે તેવું માનવામાં પૂરતું આધાર છે. આમ આ એક કેસમાં કોર્ટે પણ પતિને ન્યાય આપ્યો હતો.