આશ્કા જાની, અમદાવાદઃ મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હડકંપ મચાવી દીધો હતો. ક્ષમતા કરતા વધારે લોકોને એક સાથે પહેલાં પુલ પર ટિકિટો આપીને જવા દેવામાં આવે છે. અને બાદમાં અચાનક આ પુલ તૂટી પડે છે અને એકબાદ એક ટપોટપ લોકો મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયાં. આ ઘટનાએ નાના ભૂલકાઓથી માંડીને વડીલો સહિત કુલ 135 લોકોનો ભોગ લીધો. ત્યારે મોરબી હોનારત મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત હાઈકોર્ટે મોરબી ઝૂલતા પુલની હોનારતની ઘટનાની ગંભીર નોંધ લઈને આ અંગે સુઓમોટો લીધી છે. આ કેસમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે આ મામલે રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહીની અપેક્ષા છે. સાથે જ ગૃહ વિભાગ, અર્બન હાઉસિંગ, મ્યુનિસિપાલિટી કમિશનર, હ્યુમન રાઈટ્સ સહિતના અધિકારીઓને પણ મોરબી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં નોટિસ ફટકારવામાં આવી છે.


એટલું જ નહીં આજે મોરબી હોનારત મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હતી. સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મોરબી હોનારત મામલે 14 નવેમ્બર સુધીમા જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે. મોરબી ઘટનામાં 134 લોકોના મૃત્યુ મામલે પ્રસિદ્ધ સમાચાર અહેવાલો પણ ધ્યાનમાં લેવામાં રજિસ્ટ્રીને સૂચના આપવામાં આવી છે. વેકેશન પછી આજથી હાઈકોર્ટ ફરી શરૂ થઈ છે. કાર્યવાહીની શરૂઆતમાં મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube