rajkot game zone fire case : રાજકોટ આગકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આગકાંડ મામલે હાઈકોર્ટમા સુઓમોટો કરવામાં આવતી હતી. રાજકોટ આગકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. સુનાવણીમાં મનપાના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી. મનપાએ ગેમિંગ ઝોન ગેરકાયદે હોવા અંગે નોટિસ આપી હતી. ત્યારે હાઈકોર્ટે મનપાની ઝાટકણી કાઢતા કહ્યું કે, મનપા જાણતી હતી કે ગેમિંગ ઝોન ગેરકાયદે છે, તેમ છતાં પગલાં ન લીધા, આગ લાગવાની રાહ જોવાતી હતી. પ્રથમવાર આગ લાગ્યા બાદ પણ કોઈ મજબૂત પગલાં કેમ ન લીધા. તમે જવાબદાર વિભાગના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, તો કેમ મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કર્યા નથી. મનપાએ એક વર્ષ પહેલાં ડિમોલિશન માટે નોટિસ આપી હતી. એક વર્ષ સુધી મનપા અને કમિશનરે કેમ ડિમોલિશનની કામગીરી ન કરી. રાજકોટ મનપા કમિશનર સત્તા પર હતા તો ભૂલ કેમ થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટે સવાલ કર્યો કે નાના 5-6 અધિકારીઓ સામે કાર્યવાહી કરી , કમિશનરોને શા માટે છાવરો છો. શા માટે કમિશનરોને સસ્પેન્ડ નથી કર્યા એ સવાલ કોર્ટે કર્યો છે. હવે 13 જૂનના શું પ્રોગ્રેસ છે તે અંગે સુનાવણી થશે. અરજદાર વકીલ બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું કે, મે સુઓમોટો માટે અપીલ કરી તેની સામે પણ સરકારનાં મુખ્ય વકીલને વાંધો છે. કેમ ઘટનાસ્થળે હાજર સાક્ષીઓ સામે નથી આવી રહ્યા.. શું કોઈથી ડરી રહ્યા છે.. મારી વિનંતી છે કે સાક્ષીઓ કોર્ટ સમક્ષ આવે. કોર્ટે કહ્યું કે દુર્ઘટના પહેલા જેની ગેરકાયદેસર સ્ટ્રકચર દૂર કરવાની જવાબદારી હતી તે અધિકારીઓ સામે હત્યાની કલમ કેમ ન લગાડવી જોઈએ એ સવાલ પણ કોર્ટે કર્યો. સરકાર તરફથી પબ્લીકના પૈસે અધિકારીઓને છાવરવા કેમ ચલાવી લેવાય. રાજકોટ અગ્નિકાંડ માં સાક્ષીઓ કેમ આગળ આવતા ડરે છે.


અમદાવાદમાં ગરમીથી મોતનું તાંડવ! 13 દિવસમાં 72 લોકોના મોત થયા, તમામ મૃતદેહો અજાણ્યા


ગુજરાતમાં આજથી 11 જૂન સુધી વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ