Big Breaking : મોરબી દુર્ઘટના કેસમાં વળતર મુદ્દે હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ
Morbi Bridge Collapse : મોરબી બ્રિજ દુર્ઘટનામાં હાઈકોર્ટનો વચગાળાનો આદેશ.... મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ....
Gujarat Highcourt On Morbi Bridge Collapse : મોરબી બ્રિજ હોનારત કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે મૃતકોને 10 લાખ ચુકવવાનો વચગાળાનો આદેશ કર્યો છે. તથા ઈજાગ્રસ્તોને 2 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. દરેકને યોગ્ય વળતર મળશે તેવી નોંધ ગુજરાત હાઈકોર્ટે હુકમમાં લીધી હતી. મોરબીની ઘટનામાં જે બાળકોએ પોતાના માતા અને પિતા બંને ગુમાવ્યા હોય તેવા અનાથ બાળકોના નામની યાદી કોર્ટે માંગી છે.
મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે. પ્રતિ વ્યક્તિ મૃતકોને 10 લાખ ચુકવવાનો વચગાળાનો આદેશ આપ્યો છે. તેમજ ઘાયલોને 2 લાખ ચુકવવાનો વચગાળાનો આદેશ કર્યો છે. રાજ્યમાં અન્ય નબળા બ્રીજ મામલે સરકારને બે અઠવાડિયામાં પોલીસી બનાવે તેવુ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું.
આ પણ વાંચો :
ધારાસભ્ય જયેશ રાદડિયા પિતા વિઠ્ઠલ રાદડિયાની યાદમાં કરશે મોટું પુણ્યનું કામ
દુનિયાના સૌથી ઊંચા મંદિરમાં તમારા નામનું પિલ્લર બનાવી શકશો, અહીં બની રહ્યું છે મંદિર
જયસુખ પટેલે પ્રતિ મૃતક 5 લાખ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી
મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડવા મામલે જે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન જયસુખ પટેલે દરેક મૃતકને 5-5 લાખ આપવાની તૈયારી દર્શાવી હતી. જયસુખ પટેલના વકીલે કોર્ટમાં કહ્યુ હતું કે, અમારી અમુક મર્યાદા છે. હાલ પૂરતું વચગાળાનું વળતર આપી શકીએે તેમ છીએ. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે, વકીલ તરીકે તમારી મર્યાદા હોઈ શકે છે. અમે ગઈકાલે જ આ અંગે સ્પષ્ટ કર્યુ હતું. આ તો અમે તમને તક આપવા માગતા હતા. વચગાળાના વળતર અંગે અમે હુકમ કરી રહ્યા છીએ.
આવો દંડ હશે તો ગુજરાતના ખૂણે ખૂણે પાનની પીચકારીઓ નહિ જોવા મળે...
Big Breaking : મોરબી દુર્ઘટના કેસમાં વળતર મુદ્દે હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ