Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલાં નવા સરવે બહાર આવી રહ્યાં છે. આજે ZEE NEWS અને MATRIZEના સર્વે અનુસાર લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 સીટો પર ભાજપ જીતનો ઝંડો લહેરાવી શકે છે. જ્યારે અહીં કોંગ્રેસ અને અન્યોના ખાતા પણ ખૂલશે નહીં. વોટ શેરની વાત કરીએ તો આ મામલે પણ ભાજપ ખૂબ આગળ છે. ZEE NEWS અને MATRIZE ના સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 62 ટકા વોટ મળી શકે છે. કોંગ્રેસને 32 ટકા વોટ મળવાની સંભાવના છે જ્યારે અન્યને સાત ટકા વોટ મળવાની શક્યતા છે. જોકે, ગુજરાતમાં ભાજપની ક્લિનસ્વીપ છતાં કોંગ્રેસ હારશે નહીં પણ અહીં ભાજપ જીતશે. ગુજરાતમાં ભાજપ 2 ટર્મથી જીતતું આવ્યું છે અને ત્રીજી ટર્મમાં હેટ્રીક મારવા માગે છે. તમામ સરવેમાં ભાજપ ગુજરાતમાં ક્લિનસ્વિપ મારી રહી હોવાનું સાબિત થઈ રહ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના આ બે નેતાઓ વચ્ચે જામશે ટક્કર? કોણ બનશે દેશમાં નંબર


2019 બાદ ગુજરાતમાં વોટશેરમાં તફાવત થયો હોવા છતાં કોંગ્રેસ પાસે 33 ટકા વોટ છે પણ મોદી અને અમિત શાહનો ફફડાટ ગુજરાતમાં એટલો છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ફફડી ગયા છે. જેઓને પાર્ટી ટિકિટ આપવા માગે છે પણ તેઓ બહાનાં આગળ ધરી રહ્યાં છે. ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના ભાગરૂપે આપ ભરૂચ અને ભાવનગરની લોકસભાની સીટ લડી રહી છે પણ આ સરવે કહી રહ્યો છે કે આપ આ બંને સીટો હારી રહી છે. આમ આપની હારનો ઝટકો દિલ્હી સુધી પડઘાશે. ગુજરાતમાં ઈસુદાન ગઢવી માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થશે. કેજરીવાલે ગઢવીના ભરોસે અહીં ગઠબંધન કરી 2 સીટો પર ઉમેદવારો ઉતાર્યા છે પણ આ સરવે કહી રહ્યો છે કે ભાજપ 26માંથી 26 સીટો જીતી રહી છે. 


લાખો કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ, DA બાદ હવે સેલેરીમાં 17% વધારો 


છેલ્લી ચાર ચૂંટણીમાં બંને પક્ષોનો વોટ શેર-
લોકસભા ચૂંટણી     કોંગ્રેસ વોટ ટકાવારી          ભાજપ વોટ ટકાવારી
2004                          43.9                                          47.4
2009                          43.4%                                       46.5
2014                          32.9%                                        59.1%
2019                          32.11%                                      62.21%


ગુજરાતમાં કોંગ્રેસના આ 7 ઉમેદવારો બની શકે છે લોકસભાના ઉમેદવાર, જાહેર કરી શકે છે નામ


2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજી વખત ભાજપને સત્તામાં આવતા રોકવા માટે રાહુલ ગાંધી પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. તેઓ પક્ષના નેતાઓને સતત ડરશો નહીં... લડવાનો મંત્ર આપી રહ્યા છે, પરંતુ દેશના અન્ય ભાગોની જેમ ભાજપના સૌથી મજબૂત ગઢમાં પણ દિગ્ગજો લડવા તૈયાર નથી. ગુજરાતમાં કોંગ્રેસમાં ફફટાટ વ્યાપ્યો હોય તેમ નેતાઓ પારોઠનાં પગલાં ભરી રહ્યાં છે.  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ત્રીજી વખત સત્તામાં આવતા રોકવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તેમના નેતાઓને 'ડરશો નહીં લડો' નો સંદેશ આપી રહ્યા છે. 18મી લોકસભા ચૂંટણીમાં પાર્ટીની બેઠકોની સંખ્યા વધારવા માટે કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ પણ કેરળથી ચૂંટણી લડી રહ્યા છે.


સૌથી મજબૂત ગઢમાં ગુજરાતની સ્થિતિઃ
ગુજરાતમાં કોંગ્રેસને આકરા પડકારનો સામનો કરવો પડે છે ત્યાં પણ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાનું ટાળી રહ્યા છે. આ યાદીમાં પહેલું નામ ભરતસિંહ સેલંકીનું છે અને ત્યારપછી બીજુ નામ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું છે. બંને નેતાઓ ચૂંટણી લડવા માંગતા નથી. ગુજરાતમાં વિધાનસભા પક્ષના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ ચૂંટણી લડવામાં રસ નથી. પૂર્વ સીએમના પુત્ર તુષાર ચૌધરીની પણ આવી જ હાલત છે. જેને પગલે પક્ષને લોકસભા માટે ઉમેદવાર મળી રહ્યાં નથી. વર્ષોથી કોંગ્રેસમાં ચીટકીને બેઠેલા નેતાઓને ડર છે કે હારીશું તો પાર્ટીમાં હાલમાં રહેલો મોભો ઓછો થશે. નહીં લડીએ તો ખુલાસા કરવાનો તો મોકો મળશે.


અમદાવાદ PI ખાચરના વટાણા વેરાઈ ગયા: પ્રેમનો ઈન્કાર ભારે પડ્યો, હવે છે આ વિકલ્પ


ઉત્તરાખંડ, પંજાબ અને રાજસ્થાનમાં જનતાએ શું કહ્યું?
ZEE NEWS અને MATRIZE ના સર્વે અનુસાર, 2024ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરાખંડની તમામ 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતે તેવી અપેક્ષા છે, એટલે કે ભાજપ તમામ 5 બેઠકો જીતતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસ સાથેના અન્ય ઉમેદવારોના ખાતા પણ અહીં ખૂલશે નહીં. આમ ભાજપ ગુજરાત બાદ ઉત્તરાખંડમાં પણ ક્લિનસ્વિપ કરશે. પંજાબમાં આમ આદમી પાર્ટીને 5 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 3 સીટ, શિરોમણી અકાલી દળને એક સીટ, બીજેપીને 3 સીટ અને અન્યને એક સીટ મળતી જણાય છે. એકંદરે, એનડીએને 3 બેઠકો મળી શકે છે, ભારત જોડાણને 8 બેઠકો મળી શકે છે, જ્યારે અન્યને 2 બેઠકો મળી શકે છે. ZEE NEWS અને MATRIZE ના સર્વે મુજબ ભાજપ રાજસ્થાનમાં ક્લીન સ્વીપ કરી શકે છે. ભાજપને ત્યાં 25માંથી 25 બેઠકો મળતી જણાય છે. જ્યારે કોંગ્રેસનું ખાતું ખોલવું પણ મુશ્કેલ છે.


આ ગેંગના નિશાને હતો અંબાણીનો પ્રસંગ, સિક્યોરિટી જોઈ પ્લાન બદલ્યો'ને અહીં પાડ્યો ખેલ!


ભારત ગઠબંધન કેટલું અસરકારક?
ZEE NEWS અને MATRIZE ના સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે જો આજે ચૂંટણી થાય તો ભારતનું ગઠબંધન કેટલું અસરકારક રહેશે. તો તમને જણાવી દઈએ કે 12 ટકા લોકોએ કહ્યું કે આ ગઠબંધન ખૂબ અસરકારક સાબિત થશે. 21 ટકા લોકોએ કહ્યું કે ભારત ગઠબંધન અમુક હદ સુધી અસરકારક રહેશે. જ્યારે 58 ટકા લોકો માને છે કે આ ગઠબંધન એનડીએ સામે નબળું સાબિત થશે. જ્યારે 9 ટકા લોકોએ આ અંગે કોઈ અભિપ્રાય આપ્યો નથી.


ગુજરાતની 26 બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ પણ અમિત શાહની સીટનો અધધ...છે ટાર્ગેટ