Bravery Awardees list : શુક્રવારે રાજધાની દિલ્હીમાં સેના તથા પોલીસના જવાનોને વીરતા પદક એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં એકલા હાથે આતંકવાદીને ઠાર કરનાર ગુજરાતના જવાનને શૌર્ય ચક્ર એનાયત કરાયું છે. 21મી મહાર 1 રેજિમેન્ટના એકમાત્ર ગુજરાતી જવાન સંજય બારીયાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે શૌર્ય પદક એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે આ જવાનની છાતી ગદ ગદ ફૂલી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજય બારીયાએ આતંકવાદીને માર્યો હતો
સંજય બારીયા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકના ખોજલવાસાના વતની છે. તેમણે પોતાની રેજિમેન્ટ સાથે સતત 12 દિવસ સુધી આતંકવાદીઓ સામે લડત આપી હતી. નાબય સુબેદાર સંજયકુમાર ભમરસિંહ બારીયાએ જમ્મુ કાશ્મીરના કુપવાડા સેક્ટર ખાતે સેનાની ગુપ્ત માહિતીના આધારે તેઓની ટુકડી દ્વારા આતંકવાદીઓની ગતિવિધિ રોકવા સતત ૧૨ દિવસ ચાલેલા ઓપરેશનમાં મોટી કામગીરી કરી હતી. 


 


ગુજરાતમાં વરસાદ પડતા જ અહી ફરવા ઉમટી પડ્યા લોકો, જ્યાં હિલ સ્ટેશન, ધોધ, જંગલ બધુ જ છે


 


આજે રથયાત્રાએ ક્યાં અમી છાંટણા થશે અને ક્યાં ધોધમાર વરસાદ આવશે, હવામાન વિભાગની આગાહી