ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત સતત વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. માલની હેરફેરના આંકડાઓ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે, સમગ્ર દેશના બંદરો પર જે સામાનની અવર-જવર થાય છે તેની સામે ગુજરાતનો આંકડો ક્યાં પહોંચે છે. દેશના 229 બંદરો પર વાર્ષિક 143 કરોડ ટન સામાનની આયાત-નિકાસ થાય છે. તેની સામે ગુજરાતના 49 બંદરેથી વર્ષે 55 કરોડ ટન માલની હેરફેર થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના 49 બંદરોથી 2022- 23માં 55 કરોડ ટનથી વધુ માલ- દેશના 229 બંદરો પર માલ-સામાનની આયાત-નિકાસ થાય છે. જેમાં 12 બંદરો મેજર છે, જેમાં ગુજરાતના કંડલા બંદરનો પણ સમાવેશ થાય છે. કંડલા બંદરેથી 2022-23માં 13.75 કરોડ ટન સામાનની અવર- જવર નોંધાઇ છે. જ્યારે અન્ય 48 નોન-મેજર બંદરો પરથી 41.63 કરોડ ટન સામાનની અવર-જવર થઈ છે. 


અહીં વિદેશ જતાં અને એક બંદરેથી બીજા બંદરે અવર-જવર થતા માલ-સામાનનો સમાવેશ થાય છે. દેશના લોજીસ્ટિક સેક્ટર માટેના પ્રોજેક્ટ સાગરમાલા હેઠળ ગુજરાતને 12 નિયત પ્રોજેક્ટ માટે 1059 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. માલ સમાનની આ પ્રકારે ટ્રાજેક્શનએ આર્થિક રીતે ગુજરાતના વિકાસદરને પણ ઉપર લઈ જાય છે. સાથો-સાથ દેશના વિકાસમાં પણ તેના ફાળો વધે છે.