History of Somnath Temple/ઝી બ્યૂરો, અમદાવાદઃ હિન્દુ શાસ્ત્રો અને સનાતન ધર્મમાં દેવાધિદેવ મહાદેવ એટલેકે, ભગવાન શિવશંકરને સૌથી ઉચ્ચ સ્થાને માનવામાં આવે છે. દુનિયાભરમાં સૌથી વધારે શિવ મંદિરો આવેલાં છે. કરોડો લોકોની આસ્થા આ શિવમંદિરો અને ભગવાન ભોળાનાથ સાથે જોડાયેલી છે. ત્યારે આજનો દિવસ પણ ખાસ છે. કારણકે, કરોડો ભક્તોની આસ્થાના પ્રતિક સમાન અને બાર જ્યોર્તિંલિંગ પૈકી એક એવા સોમનાથ મહાદેવ મંદિરની આજના જ દિવસે પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. એ જ કારણસર આજે 11 મે નો દિવસ એ સમગ્ર ભારતની આસ્થાનો દિવસ માનવામાં આવે છે. આજના જ દિવસે 101 તોપોની સલામી સાથે સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તત્કાલિન રાષ્ટ્રપતિના હસ્તે કરાઈ હતી પ્રાણપ્રતિષ્ઠાઃ
અરબી સમુદ્રના કાંઠે શ્રીકૃષ્ણે આ ભૂમિને જ દેહોત્સર્ગ માટે બિરાજતા ભગવાન સોમનાથ મહાદેવ શિવાલયમાં આજે એટલે કે તા. 11 મે 1951ના રોજ ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના હસ્તે ધાર્મિક વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.આજે આ પ્રસંગને યાદ કરીને સોમનાથ શિવાલયમાં ખાસ વિશેષ પુજાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમાનથ મહાદેવ અને પ્રભાક્ષેત્રને મધ્યમાં રાખી અનેક આદ્યાત્મિક અને ઐતિહાસિક ઘટનાઓ બની ચુકી છે. આ ભૂમિમાં ભગવાન સોમનાથે ચંદ્રને કલંકમાંથી શાપમુક્ત કર્યો હતો. તો ભગવાન શ્રીકૃષ્ણે આ ભૂમિને જ દેહોત્સર્ગ માટે પસંદ કરવામાં આવી હતી. એ સમયે આ મંદિરમાં ભારે જાહોજલાલી હતી. આખુ મંદિર સુવર્ણમય હતુ. જે જાહોજલાલી હવે પાછી આવી રહી છે.


આ મંદિરના ધ્વસ્ત અને નવનિર્માણ એમ સર્જન અને વિસર્જન પ્રક્રિયા વચ્ચે પણ સોમનાથ મહાદેવ શિવાલયનો સમગ્ર ભારતભરમાં ખુબજ દબદબો છે. હાલના ડિજિટલ યુગમાં લોકો રોજ રોજ મોબાઈલ ફોનના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન લાભ લઈ રહ્યા છે. રોજ નિયમિત લોકો ઓનલાઈન સોમનાથ મહાદેવ મંદિરની આરતી ઘરે બેઠા નીહાળે છે અને ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરે છે.


સોમનાથ મંદિરના નવનિર્માણમાં કોનો હતો સિંહફાળો?
આ મંદિરના નવનિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહફાળો છે. મંદિરની ગરિમાને પરત લાવવા માટે અંજલિમાં જળ લઈને તેમણે મંદિરના નવનિર્માણનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. એ પછી 11 મે ના રોજ સોમનાથ મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.


જે તે સમય મહાદેવજીને ભારતની ૧૦૮ નદીઓ, સાત સાગરોના જળથી જળાભિષેક કરાયો હતો. સવારે ૯- ૪૬ મિનિટે સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. આજે પણ આ મંદિરના ગર્ભગૃહને સુવર્ણમંડિત કરવામાં આવ્યું છે. દ્વારશાખ અને આગળના સ્તંભો, નૃત્ય મંડપ, સભાગૃહના કળશો સુવર્ણજડિત બન્યા છે. મંદિર નાગર શૈલીના આ મંદિરના નવ નિર્માણમાં સરદાર મહામેરૂપ્રસાદ દેવાલય છે. આ મંદિરને સાત માળ છે.