અમદાવાદઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં ગુજરાત સહિત સમગ્ર દેશ રામમય બન્યું છે....પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે રાજ્યભરમાંથી મોકલવામાં આવતી ભેટ આકર્ષણનું કેન્દ્ર બની છે....સાથે ભગવાન રામ માટે યુવાનો સહિત વડીલોમાં જોવા મળતો ભક્તિનો રંગ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે...ત્યારે આવો જોઈએ અવધ નગરીમાં ભગવાન રામના આગમન પહેલાં કેવી રીતે ગુજરાત બની ગયું છે રામમય....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશભરમાં ઉત્સાહ છે. દેશભરમાંથી મંદિર માટે ભેટ મોકલવામાં આવી છે અને આ સિલસિલો હજુ પણ યથાવત્ છે. આમાંથી મોટાભાગની ભેટ તો ગુજરાતમાંથી મોકલવામાં આવી છે...જેમાં પાંચ ફૂટની પહોળાઈનું નગારું હોય, 108 ફૂટ લાંબી અગરબત્તી... 9 ફૂટ ઉંચો દીવો હોય અને 44 ફૂટ ઉંચો ધ્વજદંડ, ભગવાન રામ માટે અજય બાણ, 3600 કિલોની 108 ફુટ લાંબી અગરબત્તી સહિતની અનેક ભેટ છે જે દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.... 


બાળકો હોય કે યુવાનો....કે પછી વડિલો...ગુજરાતના તમામ લોકો હાલ રામભક્તિમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે..રાજકોટમાં ટેટૂ આર્ટિસ્ટની પણ અનોખી રામભક્તિ જોવા મળી રહી છે....વિનામુલ્યે અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના હાથ પર ભગવાન રામનું ટેટૂ બનાવ્યું છે...અને હજુ લોકો રામ નામનું ટેટૂ બનાવવા લાઈનો લગાવી રહ્યા છે..


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube