ઝી બ્યુરો/ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે. ચાલુ વર્ષે ગુજરાતના 200 પોલીસ સ્ટેશનને PI કક્ષામાં અપગ્રેડ કરવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્સપર્ટની નિમણૂંક કરાશે. આવનાર દિવસમાં 650 જેટલા આઈટી એક્સપર્ટની ભરતી કરવામાં આવશે. તો ગુજરાતના 200 આઉટ પોસ્ટ જે હેડ કોન્સ્ટેબલથી ચાલતા હતા ત્યાં PSIની નિમણૂંક થશે. પોલીસ ફોર્સની જિલ્લાઓમાં ફાળવણી હવે PPRના આધારે કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાભાર્થી વગર ધૂળ ખાતા મકાનો! ગુજરાતમા ક્યાં ઘરનું ઘર તૈયાર છે, પણ નથી મળતા લાભાર્થી?


ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડવામાં આવશે. જી હા... હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરાશે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારોમાં 10 મિનિટમાં પહોંચશે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી માત્ર 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ 20 મિનિટમાં પહોંચી જશે.


અંબાલાલ પટેલની આગાહી; આ જિલ્લાઓ ચિંતાતૂર, આવી રહ્યું છે મોટું સંકટ, હવે પડશે કરા


પોલીસ વિભાગ નવા વાહનોની ખરીદી કરશે
ગુજરાતમાં નવા પોલીસ સ્ટેશનો ઊભા થયા છે, તેના માટે પણ વાહનોની ખરીદી કરવામાં આવનાર છે, જે પેટે બજેટમાં 8.83 કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્ય સરકાર નવા 1100 વાહનો ખરીદશે. રાજ્યના પોલીસ વિભાગમાં કેન્દ્ર સરકારની વાહન સ્ક્રેપિંગની નીતિને અનુસરીને સ્ક્રેપ થયેલા વાહનોની સામે નવા વાહનો ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે માટે નાણાંકીય વર્ષ 2024-25માં 24.82 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


આયુષ્માન કાર્ડધારકો માટે મોટા સમાચાર; ગુજરાતની 300 હોસ્પિટલમા 4 દિવસ નહીં થાય સારવાર