ઉદય રંજન/અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં આવેલી નવનિર્મિત પોલીસ કમિશનર કચેરીની પાછળ પોલીસ કર્મીના આપઘાતથી અમદાવાદ શહેર પોલીસ આઘાતમાં છે. બુધવારે રાત્રિ દરમિયાન દસ વાગ્યા આસપાસ જીતેન્દ્ર વાઝા દ્વારા આત્મહત્યાનો બનાવ બન્યો હોવાનું પોલીસ અધિકારીઓને ધ્યાને આવતા તપાસ શરૂ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ambalal Patel: આ ઘાતક આગાહીને કારણે લોકોમાં ફફડાટ!! ગુજરાતમાં શું થશે એ મોટી ચિંતા?


મળતી પ્રાથમિક માહિતી અનુસાર નવનિર્મિત પોલીસ કમિશનર કચેરી પાસે પોલીસ કર્મી જીતેન્દ્ર વાઝા ઈન્સાસ રાયફલથી મોઢે બે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. પોલીસકર્મી ના આપધાત પાછળનું કારણ અકબંધ છે. પરંતુ પોલીસ કર્મીના પરિવારને બનાવવાની જાણ કરી મૃતક જીતેન્દ્ર વાઝાનું પેનલ ડોકટરથી પોસ્ટમોર્ટમ કરાવી માધુપુરા પોલીસે અકસ્માતે મોત નોંધી આત્મહત્યા અંગેનું કારણ જાણવા તપાસ શરૂ કરી. 


સરગવાની ખેતીમાં લખપતિ બની ગયો ગુજરાતનો ખેડૂત, વાર્ષિક કમાણી 20 લાખ રૂપિયા


ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે જીતેન્દ્ર વાઝા ભરતી થયા હતા અને શાહીબાગ હેડ કવાટર્સ ખાતે આવેલ પોલીસ લાઇનમાં હિતેન્દ્ર વાઝા પરિવાર સાથે રહેતા હતા. પોલીસકર્મી જીતેન્દ્ર વાઝા સાથે તેમની પત્ની અને 6 વર્ષનો દીકરો રહે છે. જ્યારે પોલીસ કર્મી જીતેન્દ્ર વાઝાના મોટો ભાઈ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવે છે.


ગુજરાતની આ શાળાએ કેમ સ્મશાનમાં લહેરાવ્યો તિરંગો? આ વાત સાંભળીને ચોંકી જશો, પણ...