Supreme Court On Bilkis Bano plea: સુપ્રીમ કોર્ટમાં બિલકિસ બાનોની અરજી પર ફરી એકવાર સુનાવણી શરૂ થવા જઈ રહી છે. કોર્ટે બુધવારે (જાન્યુઆરી 04) જણાવ્યું હતું કે તે ગુજરાતમાં 2002ના ગોધરા રમખાણો દરમિયાન સામૂહિક બળાત્કાર અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યા કરનારા 11 દોષિતોની સજામાં માફી આપવાની પડકારતી અન્ય અરજીઓ સાથે બિલકિસ બાનોની અરજી પર સુનાવણી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે બિલ્કીસ બાનોના ગુનેગારોની મુક્તિ સામેની પીઆઈએલની સુનાવણી ન કરવાની દોષિતોની માંગને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે તે બિલ્કીસ બાનોની અરજીને મુખ્ય અરજી માનીને પાંચેય અરજીઓ પર સુનાવણી કરશે. આ સુનાવણી મેરિટ પર થશે.


આ લોકોએ દાખલ કરી છે અરજીઓ
જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચ બિલકિસ બાનો કેસ સંબંધિત અરજીઓની બેચ પર સુનાવણી કરી રહી હતી. જેમાં સીપીઆઈ(એમ)ના નેતા સુભાષિની અલી, પત્રકાર રેવતી લાલ, લખનૌ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રૂપ રેખા વર્મા અને ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ દોષિતોની મુક્તિ વિરુદ્ધ એક-એક અરજી દાખલ કરી છે.


ઉત્તરાયણના બે દિવસ કેવો રહેશે પવન? પતંગ રસિયાઓ માટે આ આગાહી જાણી લેજો, નહીંતર...


સુનાવણીમાં કોર્ટે શું કહ્યું?
દોષિતોના વકીલોએ કોર્ટમાં જણાવ્યું હતું કે સુભાષિની અલી અને મહુઆ મોઇત્રા સહિતની પાંચેય અરજીઓ સાંભળવા માટે યોગ્ય નથી. આ તૃતીય પક્ષની અરજીઓ છે અને આ કેસમાં તેમની પાસે કોઈ સ્થાન નથી. જેના જવાબમાં જસ્ટિસ અજય રસ્તોગીએ કહ્યું, જ્યારે પીડિતા પોતે અહીં આવી છે, ત્યારે અમે પીડિતાની અરજીને મુખ્ય માનીને તમામ અરજીઓ સાંભળીશું. જસ્ટિસ અજય રસ્તોગીએ કહ્યું, એકવાર પીડિતા અહીં આવે છે, ત્યારે લોકસનો મુદ્દો સમાપ્ત થઈ જાય છે.


ચાઈનીઝ દોરી વેંચતા કે ખરીદતા લોકો થઇ જજો સાવધાન, નહિતર ખાવી પડશે જેલની હવા...


બીજી વખત કેસમાંથી ખસી ગયા જસ્ટિસ બેલા ત્રિવેદી 
જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ ફરી એકવાર બિલ્કિસ બાનો કેસમાંથી પોતાને અલગ કરી લીધા છે, જેનો અર્થ છે કે તેઓ હવે આ મામલાની સુનાવણી કરશે નહીં. આ પહેલા પણ તે આ કેસથી દૂર રહી ચૂક્યા છે. જણાવી દઈએ કે બિલ્કિસે 30 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરી હતી. પ્રથમ અરજીમાં 11 દોષિતોની મુક્તિને પડકારવામાં આવી હતી. જ્યારે, બીજી અરજીમાં, કોર્ટને મે મહિનામાં આપવામાં આવેલા તેના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરવામાં આવી હતી. કોર્ટે પુનર્વિચાર અરજી ફગાવી દીધી હતી.


કોંગ્રેસ ગુજરાતમા ભૂંડા પરાજયના કારણો શોધશે:આ કમિટી બનાવી,સ્થાનિક નેતાઓને નો એન્ટ્રી


શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, 2002 ના ગુજરાત રમખાણો દરમિયાન દાહોદ જિલ્લાના રણધિકપુર ગામની બિલ્કીસ તેના પરિવારના 16 સભ્યો સાથે ભાગીને નજીકના છાપરવાડ ગામના ખેતરોમાં છુપાઈ ગઈ. 3 માર્ચ 2002ના રોજ 20 થી વધુ તોફાનીઓએ ત્યાં હુમલો કર્યો હતો. આ દરમિયાન 5 મહિનાની ગર્ભવતી બિલ્કીસ સહિત અન્ય કેટલીક મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, બિલ્કીસની 3 વર્ષની પુત્રી સહિત 7 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 11 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ગયા વર્ષે 15 ઓગસ્ટે ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. બિલકિસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ટ્રાયલ હાથ ધરવામાં આવી હોવાથી મુક્તિના કિસ્સામાં ગુજરાતના નહીં પણ મહારાષ્ટ્રના નિયમો લાગુ થવા જોઈએ.