હીતલ પારેખ/ ગાંધીનગરઃ ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે, જેમાં ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે, પરંતુ એ જ દિવસે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની ગુજસેટની પરીક્ષાઓ પણ યોજાવાની છે. આથી, હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ ચાલી રહી છે. બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યની એન્જનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી ગુજસેટ પરીક્ષાની તારીખ 23 એપ્રિલ જાહેર કરાઈ હતી. હવે, ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ પણ 23 એપ્રિલ જાહેર કરાઈ હોવાથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. 


લોકસભા ચૂંટણી 2019: જાણો ગુજરાતનો સંપૂર્ણ કાર્યક્રમ અને મતદારો વિશે
 
ઉલ્લેખનીય છે કે, મતદાનના દિવસે સરકાર દ્વારા જાહેર રજા રાખવામાં આવતી હોય છે અને લોકોને મતદાન માટે પ્રેરિત કરાતા હોય છે. આથી, હવે મતદાન અને પરીક્ષાની તારીખ એક જ થઈ હોવાને કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને ગુજસેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવો પડશે. જોકે, ગુજરાત બોર્ડ દ્વારા આ તારીખ ઘણા સમય પહેલા જાહેર કરી દેવાઈ હતી. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...