Heatwave Alert : ગુજરાતમાં હવેના દિવસો બહુ જ ભારે બની રહેશે, કારણ કે આકાશમાંથી આગના ગોળા વરસરશે. હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી 4 દિવસ રાજ્યમાં 40થી 41 ડિગ્રી ગરમી પડશે. રાજ્યના લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના નથી. તેથી લોકોને કાળઝાળ ગરમીમાં શેકાવવુ પડશે. આગામી 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન ખાતાના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહીં જોવા મળે. 5 દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે. ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે. હાલ કોઈ યલો એલર્ટ નહીં, તો સાથે જ રાહતના સમાચાર એ પણ છે કે, તાપમાન 41 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના નથી. આગામી 2 દિવસ બાદ મહત્ત્તમ તાપમાનમાં 1 ડિગ્રી જેટલો સામાન્ય ઘટાડો થશે. હાલ તાપમાન સંપૂર્ણ સામાન્ય છે.


સુરત પોલીસે માનવતા મહેકાવી, વૃદ્ધાશ્રમ દત્તક લેતા જોવા મળ્યું કડક પોલીસનું નરમ રૂપ


મોટો ઝટકો! કચ્છની કેસર કેરીના ચાહકોને કેટલી જોવી પડશે રાહ? સામે આવ્યા છે મોટા સમાચાર


આ તરફ, ઉનાળાની શરૂઆતમાં ગુજરાતના ગામડાઓમાં ટેન્કરની દોડ ચાલુ થઈ ગઈ છે. રાજ્યના 4 જિલ્લાના 24 ગામમાં ટેન્કરના 46 ફેરા ફરી રહ્યાં છે. આગામી દિવસોમાં પાણીનો કકળાટ વધે તેવો વરતારો છે. કચ્છના 18 ગામમાં 9 ટેન્કર 33 ફેરા મારે છે. 14 મી એપ્રિલના ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડના આંકડામાં ખુલાસો થયો છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના બે ગામમાં ટેન્કરના 7 ફેરા મારવામાં આવે છે. તો રાજકોટના વીંછીંયાના 2 ગામમાં ટેન્કરના 4 ફેરા મરાય છે. બનાસકાંઠાના થરાદ અને વાવમાં ટેન્કરના 1-1 ફેરા છે. 


જયેશ રાદડિયાએ સિવિલ સુપ્રીડેન્ટન્ડનો ઉધડો લીધો! કારણ છે જેતપુરમાં બનેલી દુઃખદ ઘટના


અમદાવાદમાં CBI- NDRFની ટીમને મોટી સફળતા, આરોપીએ નદીમાં ફેંકેલા મોબાઇલ શોધી કાઢ્યા