અહી કોઈ સરકારી તંત્ર ફરક્યુ જ નહિ, વાવાઝોડા વચ્ચે અટવાયેલા જુનાગઢના લોકોની આપવીતી
Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડાના કારણે જૂનાગઢ જિલ્લામાં 3 પશુના મૃત્યુ... જિલ્લામાં 9 વીજ પોલ પડી ગયા, વાવાઝોડામાં 250 વૃક્ષ ધરાશાયી થયા... પરિસ્થિતિ સામાન્ય જણાતા એસ.ટી. બસોની ટ્રીપ શરૂ કરવાની સૂચના
Gujarat Cyclone Latest Update જુનાગઢ : જુનાગઢ માંગરોળ પંથકમાં બિપોરજોય વાવઝોડાની ફુક હજુપણ માંગરોળ પંથકમાં શરૂ છે અને હાલપણ માંગરોળ પંથકમાં ૬૦ થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે અને સાથે સાથે વરસાદી માહોલ છવાયો છે
બીજીતરફ વહીવટી તંત્ર પહોંચી વળવા નાં દાવા પોકળ સાબિત થાય છે. મીડિયાની ટીવીની ટીમ માંગરોળ પંથકમાં કાંઠા વિસ્તારના ગામડાનો ચિતાર જાણવા પહોંચી હતી. પરંતુ લોકોએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
મીડિયાની ટીમ પહોંચી માંગરોળ પંથકમાં મેણેજ ગામે કે જ્યાં ૫૦ જેટલાં પરપ્રાંતીય મજુરો તેમજ નાનકડું ગામ છે. જ્યાં ગામનાં સરપંચની મુલાકાત કરી હતી. સરપંચ દ્વારા ૫૦ જેટલાં લોકોને સ્થળાંતર કરી સ્કૂલ ખાતે રખાયા હતા અને ગામનાલોકોના સહયોગથી સરપંચ પોતાના ખર્ચે ફ્રુડ પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું કે, કોઇ પણ સરકારી તંત્ર અહીં ફરક્યા નથી, માત્ર પોતાની કામગીરી બતાવવા ટેલીફોનીક માહિતી મેળવી રહ્યા હતા. અહી લોકો હેરાન પરેશાન છે અને તંત્ર સબ સલામત અને સ્થળાંતર કરવાનાં દાવા પોકળ સાબિત થાય છે. છેલ્લા પાંચ દિવસથી વિજળી ગુલ છે અને પશુઓ તરસ્યા છે જેથી તાત્કાલિક વીજપુરવઠો ચાલુ કરવા માંગ કરી છે.
અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું, આ દિવસે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે
વાવાઝોડાના સંકટથી બચેલા દ્વારકાવાસીઓએ કહ્યું, દ્વારકાધીશે સંકટ પોતાની ઉપર લઈ લીધું
વાવાઝોડામાં પ્રચાર કરતા ટ્રોલ થયા રીવાબા, ફૂડ પેકેટ પર લગાવ્યો પોતાનો ફોટો
આજે ગુજરાતના 117 તાલુકામાં અનારાધાર વરસાદ પડ્યો, હજી આ વિસ્તારોમાં છે વરસાદની આગાહી