સપના શર્મા, અમદાવાદઃ Gujarat Weather Forecast: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જૂનાગઢ, નવસારી સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી તબાહી જોવા મળી છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં વરસાદ અંગે આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી છે. વલસાડ, ભરૂચ, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં કોઈ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 83 ટકા પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 20 ટકા વધુ વરસાદ થયો એટલે કે કુલ 120 ટકા વરસાદ પડ્યો છે. 


આ પણ વાંચોઃ પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા તથ્ય પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, હવે જેલ હવાલે


હવામાન વિભાગે કહ્યું કે આવતીકાલ એટલે કે મંગળવારથી ભારે વરસાદની શક્યતા ઓછી છે. વિભાગે દરિયો તોફાની રકહેવા અને ભારે પવન ફુંકાવાની સંભાવના જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. નોંધનીય છે કે રાજ્યમાં વર્તમાનમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. હવામાન વિભાગે કહ્યું કે માત્ર મોન્સૂન ટ્રોફ પસાર થી રહ્યું છે, જેના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. 


ક્યાં કેટલો વરસાદ
રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૯.૯૭ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૨૯.૯૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૨.૯૬ ટકા ઉત્તર ગુજરાતમાં ૫૯.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૬.૦૪ ટકા, પૂર્વ ગુજરાતમાં ૫૩.૫૬ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.


ભારે વરસાદના કારણે રાજ્યમા ૨૯૩ માર્ગો બંધ હાલતમાં છે. એક નેશનલ હાઈવે પોરબંદર જિલ્લામાં બંધ છે. તો 11 સ્ટેટ હાઈવે બંધ છે. રાજકોટ, જામનગર જુનાગઢ અને પોરબંદરમા બે બે સ્ટેટ હાઈવે બંધ છે. આણંદ, ભાવનગર ગીર સોમનાથમા એક એક સ્ટેટ હાઈવે બંધ હાલતમાં છે. ૨૫૫ પંચાયત હસ્તકના માર્ગો બંધ હાલતમાં છે. સૌથી વધુ જુનાગઢમા 57, જ્યારે પોરબંદર 47, વલસાડ અને રાજકોટ 33, નવસારી 16 અને ભાવનગરમાં 23 માર્ગો બંધ છે. તો 26 અન્ય માર્ગો બંધ હાલતમાં છે. 


આ પણ વાંચોઃ ડમીકાંડમાં યુવરાજ સિંહને મળ્યા જામીન, આ શરતોનું કરવું પડશે પાલન


24 કલાકમાં ક્યા કેટલો વરસાદ 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં સૌથી વધુ 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો રાજકોટના કોટડાસાંગાણીમાં 3.76 ઈંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત જામનગરના લાલપુર અને અમરેલીના બાબરામાં 3.36 ઈંચ વરસાદ નોંધાયો. રાજકોટના લોધિકા અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 3.28 ઈંચ વરસાદ નોંધાયો. કચ્છના ગાંધીધામ અને સુરતમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો. દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર અને ભાવનગરના સિહોરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો. તેમજ 14 તાલુકામાં 2 ઈંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો. 37 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો. 12 તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. આમ, 119 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો.     


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube