અમદાવાદ: જસદણ પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું અને ભાજપના કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના અવસર નાકિયાને માત આપતા ગઢ સર કર્યો. કુંવરજી બાવળિયાએ 19 હજાર કરતા વધુ મતોથી અવસર નાકિયાને હરાવીને જસદણમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ગુરુવારે યોજાયેલા મતદાનમાં અવસર નાકિયાને તેના રાજકીય ગુરુએ માત આપી છે. આ સાથે જ ભાજપે વિધાનસભામાં 100નો જાદુઈ આંકડો પાર કર્યો છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન બંને પક્ષો દ્વારા દિગ્ગજ નેતાઓને પ્રચારમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. હાર્દિકે કોંગ્રેસના અવસર નાકિયાના પ્રચાર માટે રૂપાવટી ગામે સભા સંબોધી હતી. આ ગામના પરિણામમાં પણ ભાજપને લીડ મળી છે. રૂપાવટીમાં અવસર નાકિયાને 251 અને કુંવરજી બાવળીયાને 667 મતો મળ્યાં. જો કે આમ છતાં હાર્દિક પટેલે મીયા પડે તો ય ટંગડી ઉચી કી ઉંચી જેવું વલણ રાખ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસદણ પેટાચૂંટણી: બાવળીયા સામે હાર્દિકનો જાદુ પણ સાવ ફિક્કો, જ્યાં પ્રચાર કર્યો ત્યાં BJP જીત્યું


જસદણ પેટાચૂંટણીના પરિણામ બાદ પ્રતિક્રિયા આપતા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે કહ્યું કે 'જસદણની ચૂંટણીમાં જનતાનો જે આદેશ છે તે સ્વીકારવો પડે.ખૂબ નવાઈની વાત છે કે કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના ઉમેદવારની જંગમાં  સતા પાર્ટીએ ખૂબ પ્રયાસ કર્યા, જેના માટે આખું પ્રસાશન કામે લગાવી દીધું, છતાં ભાજપની જીત 20 હજાર મતથી થઈ, હું બહું મોટી જીત હું નથી માનતો.'


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક....