જામનગર: જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જામનગરના કાલવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. કાલવાડમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. કાલાવડ તાલુકામાં 8 ઈંચ વરસાદ વરસતા ચારે તરફ પાણી પાણી પ્રસરી ગયા છે. લાલપુર અને જામજોધપુરમાં બે ઈંચ, જામનગરમાં ત્રણ અને ધ્રોલમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. જોડિયામાં પાંચ અને કાલવડમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે. મોડી રાતેથી વીજળીના કડાકા-ભડાકા સાથે ગાજવીજ વરસાદ વરસ્યો છે. કેટલાક ગામોમાં વરસાદી પાણી પણ ભરાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે રાજકોટ પાસે આવેલા કોલીથડ ગામે 15 જેટલા લોકો પાણીમાં પૂરમાં ફસાયા છે. ત્યારે તેમને એરલિફ્ટ કરવામાં આવશે. અરૂણ મહેશ બાબુ દ્વારા સૂચના આપવામાં આવી છે. થોડીકવારમાં જામનગરથી હેલિકોપ્ટર રાજકોટ પહોંચશે. 


તો બીજી તરફ ભારે વરસાદના લીધે ગોંડલ જામકંડોરણા હાઇવે બંધ થઇ ગયો છે. હાઇવે બંધ  થઇ જતાં વાહન ચાલકો ફસાયા છે. ડેમના પાણી ગામમાં ઘૂસી જતાં લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. ડેયા ગામમાં ડેમના પાણી ફરી વળતાં સ્થાનિક લોકો અગાસીએ ચડી ગયા છે. નદીના પાણી ખેતરોમાં ઘૂસી જતાં 15 થી 20 જેટલા મજૂર વાડીમાં ફસાયા છે. 

ભાદરવે ભરપૂર: કાલાવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ, ડેમ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘુસ્યા


ગોંડલ પ્રાંત અધિકારી,ધારાસભ્ય પુત્ર,ફાયર ટીમ,તાલુકા પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જરૂર પડ્યે હેલિકપ્ટરની મદદ લેવામાં આવશે તેવું પ્રાંત અધિકારી જણાવ્યું છે. 


જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે, રાજકોટના આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.


CM બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, આપ્યો આ આદેશ

ડેમના નીચાણના વિસ્તારોમાં આવેલાં અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 7.76 મીટર છે અને ડેમમાં 4492 ક્યૂસેક પાણીની આવક થઈ છે. અને હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. 


રાજકોટની ખોખળદળ નદીમાં પુર આવતાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે. વેલનાથ પરા વિસ્તારમાં લોકોના ઘરમાં 4 ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા છે. કંકાવટી ડેમ ઓવરફ્લો થતાં ઘુડશીયા, ફ્લા, બેરડા, અલીયાબાડા ગામમાં ડેમના પાણી ઘૂસ્યા છે. અલીયાબાડા ગામે પાણીમાં ફસાયેલા 25 લોકોને મનપા ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. 


જિલ્લામાં અનરાધાર વરસાદ વરસતાં તંત્ર દ્વારા જિલ્લાની તમામ શાળા બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube