ગુજરાત : આજે ભારતીય વાયુસેનાએ બહાદુરી બતાવીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એર સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાનના બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોમાં જૈશ-એ-મોહંમદના આતંકી અડ્ડાને નષ્ટ કરીને 200થી 300 જેટલા આતંકીઓને માર્યા છે. ભારતે આ બીજી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે, ત્યારે હવે પાકિસ્તાન તથા આતંકીઓ આ કાર્યવાહીથી ચૂપ બેસે તેવું લાગતુ નથી. તેથી ગુજરાતને અડીને આવેલી પાકિસ્તાનની બોર્ડર પર અગમચેતીના ભાગરૂપે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વાયુ સેનાના હુમલા પર ગુજરાતના સીમાવર્તી બોર્ડર એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતની ત્રણેય સુરક્ષા પાંખોને ખડેપગે રહેવાનું કહી દેવાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયુસેનાએ બતાવેલી એર સર્જિકલ સ્ટ્રાઈક-2ની બહાદુરીના સમાચાર વાંચો એક ક્લિક પર...


દરિયાઈ સીમાને સુરક્ષિત કરાઈ
પોરબંદરમાં નેવી અને કોસ્ટગાર્ડને એલર્ટ કરાયા છે. નેવી અને કોસ્ટગાર્ડની શીપોને એલર્ટ પર મૂકાઈ છે. તો સાથે જ નેવી અને કોસ્ટગાર્ડ એર એન્કલેવના વિમાનો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર કરાઈ છે.


ભારતે હુમલો કર્યાનો ખુદ પાકિસ્તાને આ Photosથી આપ્યો પુરાવો