ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 300 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 307 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 360 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.98 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1,965 એક્ટિવ કેસ છે. જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1,946 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,55,585 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાના કારણે આજે એકપણ દર્દીનું મોત થયું નથી. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


આ પણ વાંચો:- ખાદ્યતેલમાં 60 રૂપિયાનો વધારો ઝીંકાયો, જાણો સિંગતેલના એક ડબ્બાનો ભાવ કેટલો થયો


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 84 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 31, વડોદરા કોર્પોરેશનમાં 30, સુરત કોર્પોરેશનમાં 14, સુરતમાં 12, ગાંધીનગર કોર્પોરેશન, નવસારી, સાબરકાંઠા અને વલસાડમાં 10-10 કેસ નોંધાયા છે. જ્યારે ડાંગ અને રાજકોટ કોર્પોરેશનમાં 9-9 કેસ ઉપરાંત બનાસકાંઠા, જામનગર કોર્પોરેશન અને મોરબીમાં 8-8 કેસ આવ્યા છે. મહેસાણામાં 7 કેસ નોંધાયા છે. ભરૂચ અને રાજકોટમાં 6-6 કેસ આવ્યા છે. ગાંધીનગર, કચ્છ અને પાટણમાં 5-5 કેસ આવ્યા છે. અમરેલીમાં 4 કેસ અને પંચમહાલમાં 3 કેસ આવ્યા છે. અમદાવાદ, આણંદ, ગીર સોમનાથ, જામનગર અને ખેડામાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે દાહોદ, સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે.


આ પણ વાંચો:- રાજ્યમાં પાણી જ પાણી! સિઝનનો 100 ટકા વરસાદ, ફરી આ વિસ્તારોમાં તૂટી પડશે મેઘરાજા


જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 121 દર્દી સાજા થયા છે. વડોદરામાં 6, વડોદરા કોર્પોરેશનમાં 73, સુરત કોર્પોરેશન અને સુરતમાં 9-9 દર્દી સાજા થયા છે. ગાંધીનગર કોર્પોરેશનમાં 12, નવસારીમાં 10, સાબરકાંઠામાં 3, વલસાડમાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 35, બનાસકાંઠામાં 4, જામનગર કોર્પોરેશનમાં 8, મોરબીમાં 5, મહેસાણામાં 5, ભરૂચમાં 3, રાજકોટમાં 7, ગાંધીનગરમાં 3, કચ્છમાં 3, પાટણમાં 1, અમરેલીમાં 1, પંચમહાલમાં 1, અમદાવાદમાં 3, આણંદમાં 3, ગીર સોમનાથમાં 3, જામનગરમાં 6, ખેડામાં 1, દાહોદમાં 3, અરવલ્લીમાં 3, ભાવનગરમાં 1, બોટાદમાં 1, દેવભૂમિ દ્વારકામાં 4, જૂનાગઢમાં 2 અને પોરબંદરમાં 1 દર્દીઓ સાજા થયા છે.


આ પણ વાંચો:- લોકો ઘરમાંથી બહાર નહતા નીકળી શકતા એવા સમયે આ લોકોએ વેચ્યું કોરોડોનું ડ્રગ્સ


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,94,216 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1215 ને રસીનો પ્રથમ અને 5006 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 494 ને રસીનો પ્રથમ અને 964 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 31,416 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 467 ને રસીનો પ્રથમ અને 4,515 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 2,50,139 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,19,34,488 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube